રાજ્યભરમાં ચોમાસા દરમિયાન રસ્તાની ખસ્તા હાલતથી નાગરિકો તો પરેશાન થયા. જો કે હવે તો ખુદ પ્રજાના પ્રતિનિધિઓ પણ બિસ્માર રસ્તાથી પરેશાન હોય તેવું લાગી રહ્યુ છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગાંધીનગર મનપાના મેયરે બિસ્માર રસ્તા મુદ્દે માર્ગ મકાન વિભાગના અધિક સચિવને પત્ર લખવો પડ્યો અને પોતાનો બડાપો ઠાલવ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધીનગરના મેયર રીટા પટેલે રસ્તાની ખસ્તા હાલત અંગે કોન્ટ્રાકટરોને જવાબદાર ઠેરવ્યા અને રસ્તાના સમારકામ મુદ્દે કોન્ટ્રાકટરો દુર્લક્ષ સેવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. જો કે મેયરે ચાલુ વર્ષે મનપા દ્વારા રસ્તા પાછળ કરાયેલા 15 કરોડ રૂપિયાના ખર્ચનો હવાલો આપીને કોન્ટ્રાકટરો પર નિશાન તાક્યું.
ત્યારે બીજી તરફ કોંગ્રેસે મેયરના પત્રને લઈને મેયર સામે જ સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસી કાઉન્સિલર અંકિત બારોટે પત્ર મામલે માત્ર કોન્ટ્રાકટર જ નહીં ખુદ મેયર પણ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસી કાઉન્સિલરનું માનવું છે કે કોર્પોરેશનના શાસક તરીકે મેયર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:04 am, Thu, 10 October 19