Gujarati NewsGujaratGandhinagar govt to procure gram and mustard at msp from april 1 to may 31
ચણા અને રાયડાના ખેડૂતો માટે સારા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરાશે ખરીદી
ચણા અને રાયડાની ખેતી કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. મગફળી બાદ હવે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ખરીદી શરૂ થશે. અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા […]
Follow us on
ચણા અને રાયડાની ખેતી કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. મગફળી બાદ હવે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ખરીદી શરૂ થશે. અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં સૂચનાઓ આપી દીધી છે. તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે વિવિધ ખરીદકેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ચણાની ટેકાના ભાવે કુલ 95 કેન્દ્રો પરથી ખરીદી કરાશે. જ્યારે 35 કેન્દ્રો પરથી રાયડાની ખરીદી કરવામાં આવશે.