જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ

|

Sep 19, 2020 | 6:43 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ […]

જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ

Follow us on

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓને અન્ય વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર તાત્કાલિક જીજી હોસ્પિટલ પહોચી ગયા હતા. અને આગ લાગવાના કારણો શોધવા માટે તપાસના આદેશ કર્યા છે. તો કોરોનાને લઈને આગ લાગ્યા બાદ હોસ્પિટલ સંકુલને સેનીટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ ફાયર અંગે કેમ કોઈ ચોકસાઈ ના દાખવી તે એક સવાલ લોકોમાં પુછાતો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિ. કમિશનર અને મેયર ધ્યાન આપો,શારદાબેન હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં જવા છત્રી નહી હોય તો પલળી જશો,હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:03 am, Tue, 25 August 20

Next Article