જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ
અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ […]
Follow us on
અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓને અન્ય વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર તાત્કાલિક જીજી હોસ્પિટલ પહોચી ગયા હતા. અને આગ લાગવાના કારણો શોધવા માટે તપાસના આદેશ કર્યા છે. તો કોરોનાને લઈને આગ લાગ્યા બાદ હોસ્પિટલ સંકુલને સેનીટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ ફાયર અંગે કેમ કોઈ ચોકસાઈ ના દાખવી તે એક સવાલ લોકોમાં પુછાતો હતો.