જામનગરના ખેડૂતો જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા, કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ 10 દિવસ માટે રહેશે બંધ

|

Aug 10, 2020 | 2:36 PM

જામનગરના માર્કેટિંગ યાર્ડ કોરોનાના કારણે 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનાથી લઇ અત્યાર સુધીમાં વારંવાર યાર્ડ બંધ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોને જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા છે. તહેવારોના માહોલમાં ખેડૂતોને પૈસાની જરૂર પડી છે, પરંતુ યાર્ડ બંધ હોવાના કારણે પાક વેચાતો […]

જામનગરના ખેડૂતો જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા, કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ 10 દિવસ માટે રહેશે બંધ

Follow us on

જામનગરના માર્કેટિંગ યાર્ડ કોરોનાના કારણે 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનાથી લઇ અત્યાર સુધીમાં વારંવાર યાર્ડ બંધ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોને જણસી વેચવામાં મુશ્કેલી પડતા રોષે ભરાયા છે. તહેવારોના માહોલમાં ખેડૂતોને પૈસાની જરૂર પડી છે, પરંતુ યાર્ડ બંધ હોવાના કારણે પાક વેચાતો નથી. જેના કારણે ખેડૂતોને આર્થિક ભીંસનો સામનો કરવો પડે છે. ખેડૂતોનો પાક ખુલ્લા ખેતરોમાં વરસાદમાં પલળીને ખરાબ થઈ જાય તો તેમની પરસેવાની કમાણી પાણીમાં વહી જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. કોરોનાનો કહેર આખા વિશ્વમાં ફેલાયો છે તો તમામ ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવ્યા છે, તો માત્ર માર્કેટિંગ યાર્ડ જ શા માટે બંધ રાખવામાં આવે છે? તેવા અનેક પ્રશ્નો ખેડૂતો દ્વારા સરકારને પૂછવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article