ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક નાશ પામી રહ્યો છે. એક વર્ષની મહેનત બાદ પાકેલી કેળને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાણીમાં ધોવાતી ઉપજને બચાવવા ભરૂચના ખેડૂતોએ જીવ જોખમમાં મુકવાની ફરજ પડી રહી છે. ૧૫ દિવસ બાદ પણ નર્મદાના પાણી ન ઓસરતા માંડવા ગામના ખેડૂત ગળાડૂબ પાણીમાં તરીને ખેત પેદાશ ખેતરોમાંથી બહાર લાવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
માંડવાના ખેડૂતો મોટા પ્રમાણમાં કેળની ખેતી કરે છે. એક વર્ષની મહેનત અને પોષણ અને રક્ષણ આપતી દવાઓના ખર્ચ પર પાણી ફરી ગયા છે. લાખો રૂપિયાની ઉપજ ધોવાઈ જતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિકલ્પ ન રહેતા હવે ખેડૂતોએ ઉપજ મેળવવા જીવ જોખમમાં મુકવાનું શરુ કર્યું છે. સ્થાનિક ખેડૂતો ખેતરમાંથી કેળ કાપી તેને હવા ચુસ્ત બાંધી તરતી થેલીઓમાં જીવન જોખમે ખેતર બહાર સુધી ઉપજ લાવી બજારમાં મોકલે છે. તંત્રએ અનેજ રજૂઆત બાદ પણ ખેડૂતોની આપવીતી સાંભળી ન હોવાનો જગતનો તાત આક્ષેપ કરી રહ્યા છે.
૨૫ વીંઘા જમીન પર પાકેલી કેળ ગુમાવવાના ભય વચ્ચે ખેડૂત ભારત પટેલે કહ્યું કે, ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
[yop_poll id=”1″]
મગન પટેલએ કહ્યું કે, વર્ષ ૨૦૧૩માં પણ પૂર સમયે સીમમાં ખુબ પાણી આવ્યું હતું. પરંતુ ૨૪ કલાકમાં નિકાલ થયો હતો સ્થાનિક ખેડૂતોને ૫ કરોડ રૂપિયાનું નુકસાન છે. સીમ નજીક બનેલા ટોલ ટેક્ષના કારણે થયેલ પુરાણ અને પાણીના નિકાલની વ્યસવસ્થાના અભાવે પરિસ્થિતિ વિપરીત બની હતી