મૃતક Corona વૉરિયર્સના પરિવારજનો આર્થિક તંગીમાં, સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાવા મજબૂર

|

Feb 18, 2021 | 2:33 PM

Coronaના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું

મૃતક Corona વૉરિયર્સના પરિવારજનો આર્થિક તંગીમાં, સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાવા મજબૂર

Follow us on

કોરોના (Corona) ના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પરિવારના મોભી ગુમાવવાની ખોટ તો નહીં પુરાય પરંતુ પોતાનું ગુજરાન ચલાવવું પણ તેમના માટે મુશ્કેલ બની રહ્યુ છે અને હવે તેઓ આર્થિક સહાય મેળવવા માટે કોર્પોરેશન ઓફિસના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો જે પૈકી કોરોના સાથે સંકળાયેલી કોઇ પણ કામગીરી દરમિયાન રાજ્ય સરકારનો કોઇ પણ કર્મચારી કોરોના સંક્રમિત થશે અને કોરોનાને કારણે તેનું મૃત્યુ થશે તો સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે. આ નિર્ણયની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણીએ કરી હતી સાથે જ કેન્દ્ર સરકારે પણ આવા પરિવારને 50 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં ફ્રંટ લાઇન વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા મનપાના 1200 કરતા પણ વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી 24 કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા હતાં. આવા કર્મચારીઓના મૃત્યુને 7 મહિનાથી વધુ સમય વિતી ગયા હોવા છતાં તેમનો પરિવાર આર્થિક સહાયથી વંચિત છે. તેઓને મળવા પાત્ર કોઇ લાભ હજુ સુધી મળ્યા નથી. લાભની રકમની મેળવવા માટે તેઓ કોર્પોરેશન કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ હવે તેમને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

 

Next Article