AHMEDABAD : વિશ્વ પ્રસિદ્ધ મહારાષ્ટ્રની પેન પનવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું એકઝીબિશન

|

Sep 03, 2021 | 5:31 PM

મહારાષ્ટ્રની પેન પનવેલની 200 થી પણ 250 મૂર્તિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ મૂર્તિઓ 12 થી 24 ઇંચની છે. ખાસ કરીને આ પ્રદર્શનનો એક જ ઉદ્દેશ્ય છે પર્યાવરણના રક્ષણ હેતુ તમામ માટીની મૂર્તિઓ બનાવવામાં આવે.

AHMEDABAD : વિશ્વ પ્રસિદ્ધ મહારાષ્ટ્રની પેન પનવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું એકઝીબિશન
Exhibition of eco-friendly statues of world famous Maharashtra's Pan Panvel Ganeshji at Ahmedabad

Follow us on

AHMEDABAD : ગણેશોત્સવ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગણેશોત્સવ પર આ વર્ષે લોકો માટીની મૂર્તિની વધુ પસંદગી કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં બનતી ભગવાન ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન બાપ્પા મોરીયા અમદાવાદ ગ્રુપ દ્વારા વાઈડએંગલ, એસ.જી.હાઈવે અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું છે. તમામ મૂર્તિઓ ઇકોફ્રેન્ડલી અને મહારાષ્ટ્ર સ્ટાઇલની છે. અયોજકોનું માનવું છે કે આ પ્રયાસથી લોકો POP મૂર્તિ છોડી માટીની મૂર્તિ તરફ વળશે. પર્યાવરણને હાની ન પહોંચે માટે બાપ્પા મોરીયા ગ્રુપ દ્વારા ફાર્મ સોઈલ, સાડુ માટીની મૂર્તિઓ બનાવાઈ છે.

આ પ્રદર્શન સવારે 11 કલાકથી લઈને રાત્રે 9 કલાક દરમિયાન ચાલશે.આ મૂર્તિઓની વિશેષતાઓ એ છે કે, ફાર્મ સોઈલ અને સાડુ માટીની એટલે ખેતર અને તળાવની માટીની મૂર્તિઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેમાં ફાર્મ સોઈલની મૂર્તિમાં જે કલર કરાયો છે તે હર્બલ કલર છે. કંકુ અને હળદર વગેરેનો ઉપયોગ કરી આ મૂર્તિઓ પર કલર કરવામાં આવ્યો છે. જ્યારે સાડુ માટીની મૂર્તિ પર વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રદર્શનમાં વિશ્વમાં પ્રસિદ્ધ એવી દગડુ શેઠ હલવાઈની મૂર્તિ, લાલ બાગના રાજાની મૂર્તિ, ઢોલિયા ગણપતિ, પેશ્વા સ્ટાઈલના ગણપતિ, મૈસુરી સ્ટાઈલના ગણેશજી તેમજ સાફો પહેરેલા ગણેશજીની મૂર્તિઓ એક જ જગ્યાએથી મળશે. અમદાવાદીઓ અહીં આવી તેમની મનગમતી મૂર્તિઓની ખરીદી કરી ગણેશજીની સ્થાપના ઘરે જ કરીશકાશ, એ હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહારાષ્ટ્રની પેન પનવેલની 200 થી પણ 250 મૂર્તિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ મૂર્તિઓ 12 થી 24 ઇંચની છે. ખાસ કરીને આ પ્રદર્શનનો એક જ ઉદ્દેશ્ય છે પર્યાવરણના રક્ષણ હેતુ તમામ માટીની મૂર્તિઓ બનાવવામાં આવે. જેથી લોકો પણ આ મૂર્તિઓ લઈ જઈ ઘરે જ પધરાવી શકે છે. આ એક્ઝિબિશનમાં મૂર્તિઓની જુદી જુદી વેરાયટી જોવા અને ખરીદવાનો લ્હાવો શહેરીજનોને અહીં મળશે.

મહત્વનું છે કે શહેરમાં સૌથી વધુ POP ના મૂર્તિકાર અને બાદમાં માટીના મૂર્તિકાર છે. કેમ કે માટીની મૂર્તિ વધુ મહેનત અને દેખરેખ માંગી લે છે. તેમજ POP કરતા માટીની મૂર્તિ મોંઘી પડે છે. જોકે તેમ છતાં પર્યાવરણને થતા નુક્શાનને અટકાવવા માટે સરકારે POP મૂર્તિ પર પ્રતિબંધ મુક્યો છે. જેથી લોકો માટીની મૂર્તિનું જ પસંદગી કરી રહ્યા છે. જેથી ઘરે સ્થાપના કરી ઘરે વિસર્જન કરી શકાય. જોકે હજુ પણ કેટલાક લોકો POP મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આવા લોકોને માટીની મૂર્તિ તરફ વાળવા માટે બાપ્પા મોરિયા અમદાવાદ ગૃપ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

આપણ વાંચો : AHMEDABAD : આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ નાસિકથી ઝડપાયો

Published On - 5:28 pm, Fri, 3 September 21

Next Article