ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામના મહેમાન બન્યા. તેઓ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કર્યું છે. ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચોઃ નવસારીના ગણદેવીના કાછોલી ગામે ડાયરામાં 2 હજાર રૂપિયાનો વરસાદ
સાથે જ તેમણે પલ્સ પોલિયો અભિયાનના ભાગ રૂપે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા અને વિધવા મહિલાઓને સહાય આપી હતી. તેમણે પોતાની સ્પીચમાં જૂના દિવસોને યાદ કર્યા હતા અને ગામના ગામના પૂર્વ સરપંચના વખાણ કર્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો