AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સહિત દેશમાં ચાર જગ્યાએ ધ્રુજી ધરા, કચ્છમાં સવારે 9 કલાકે આવ્યો ભૂકંપ

આજે ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર સ્થળોએ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં મુકાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સહિત દેશમાં ચાર જગ્યાએ ધ્રુજી ધરા, કચ્છમાં સવારે 9 કલાકે આવ્યો ભૂકંપ
| Updated on: Dec 08, 2023 | 10:09 AM
Share

આજે ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર સ્થળોએ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં મુકાયા છે.

દેશમાં ચાર સ્થળોએ આવ્યો ભૂકંપ

દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે.તો મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

રાજકોટમાં પણ ધરા ધ્રુજી

ગુજરાતમાં કચ્છની સાથે રાજકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધરતીકંપના કારણે કચ્છ અને રાજકોટમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકા બંધ થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો. તીવ્રતા ઓછી હોવાના કારણે એકપણ જગ્યાએ જાનહાનીના સમાચાર નથી.

વર્ષ 2023માં ભૂકંપની અનેક ઘટના બની

ભારતમાં વર્ષ 2023માં 124થી વધુ વાર હળવા અને મજબૂત ભૂકંપ આવ્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. 2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે 24 જાન્યુઆરી, 2023 (M: 5.8), 3 ઓક્ટોબર, 2023 (M: 6.2), અને 3 નવેમ્બર, 2023 (M: 6.4) ના રોજ મજબૂત ધરતીકંપ આવ્યા છે.

ભૂકંપની ઘટનાઓમાં થયો વધારો

વર્ષ 2023માં ભૂકંપની આવૃત્તિ છેલ્લા ચાર વર્ષમાં બમણી થઈ ગઈ છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ભૂકંપના કેસમાં વધારો થયો છે.ઉત્તર ભારત અને નેપાળમાં અવારનવાર મધ્યમ ભૂકંપ અને ધરતીકંપની ગતિવિધિઓમાં વધઘટ અનુભવવી સામાન્ય છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">