Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર? દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય […]

Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત
| Updated on: Jul 01, 2019 | 9:09 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર?

દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય એટલે તેને પિયત આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન તેને રોગ પણ લાગુ પડે છે અને જીવાતોનો ઉપદ્રવ પણ થાય છે. આ સમયે શું ધ્યાન રાખવું તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિવેલાંને વાવેતર બાદ રોજે રોજ પિયત આપવુ જરૂરી નથી. પરંતુ સમયાંતરે તેમાંથી નિંદામણ કાઢવું ખુબ જ જરૂરી છે. એ સિવાય તેમાં પહેલી માળ આવે પછી પણ યુરીયા આપવાનુ હોય છે. નવેમ્બર મહિના દરમિયાન દિવેલાનાં છોડને સુકારાનો રોગ લાગુ પડવાની શક્યતા રહે છે. તે સમય દરમિયાન છોડનો વિકાસ થઇ ગયો હોય છે. છોડ પર માળો પણ આવી ગઇ હોય છે. ત્યારે જમીનમાંથી ભેજ ચાલ્યો ગયો હોય છે. વાતાવરણ પણ ઠંડુ હોય છે. છોડને પાણીની વધુ જરૂર હોય છે. આનાં માટે ખેડૂતે પાકને હળવુ પિયત આપવાનું હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 7:18 am, Mon, 1 July 19