સુરતમાં હીરાથી શણગારેલાં બાપ્પાના કરો દર્શન, વિશેષ આભૂષણોથી કરાઈ છે સજાવટ

|

Sep 04, 2019 | 3:28 PM

સુરતનાં ગણપતિ ડાયમંડથી જડેલા ન હોય એવું કઇ રીતે બની શકે છે. સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીના ગણપતિ ખુબ પ્રખ્યાત છે. શ્રધ્ધા અને ભક્તોની મનોકામના પુર્ણ કરવા માટે તો ખરા જ પણ તેના સાજ શણગાર માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આવો તમને બતાવીએ દાળિયા શેરીનાં ગણપતિ કે જેમને વિશેષ આભૂષણોની સજાવટ કરવામાં આવે […]

સુરતમાં હીરાથી શણગારેલાં બાપ્પાના કરો દર્શન, વિશેષ આભૂષણોથી કરાઈ છે સજાવટ

Follow us on

સુરતનાં ગણપતિ ડાયમંડથી જડેલા ન હોય એવું કઇ રીતે બની શકે છે. સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીના ગણપતિ ખુબ પ્રખ્યાત છે. શ્રધ્ધા અને ભક્તોની મનોકામના પુર્ણ કરવા માટે તો ખરા જ પણ તેના સાજ શણગાર માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આવો તમને બતાવીએ દાળિયા શેરીનાં ગણપતિ કે જેમને વિશેષ આભૂષણોની સજાવટ કરવામાં આવે છે. બાપ્પાના મુગટને 5000 હીરાથી ચમકાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ
બાપ્પાના હાથ-પગ સોના-ચાંદીનાં પાણીના ઢોળની સાથે 6500 જેટલાં ડાયમંડથી મઢી દેવાયા છે. બાપ્પાના વિશાળ કાન પણ 2000 જેટલાં હિરાથી તૈયાર કરવામાં આવ્યા છે. ગણપતિને પહેરાવવા જનારા બાજુબંધ અને હાર પણ 12,500 ડાયમંડથી તૈયાર કરાયા છે.
આ ઉપરાંત સોના-ચાંદીથી બનેલાં 25 તોલા દાગીના પણ ગણપતિ બાપ્પાને ખાસ ચઢાવવામાં આવે છે. સાથે જ ગણપતિનું વાહન ગણાતાં મુષકને પણ સાત કિલો ચાંદીથી તૈયાર કરવામાં આવ્યા છે. જેની કિંમત ચાર લાખ સુધીની થવા જાય છે.
ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પાંદડાનાં આકારથી બનેલાં નાનકડા ડાયમંડ ગણેશની કિંમત અંદાજે સાડા ચાર લાખ સુધીની થવા જાય છે. અહિંના આયોજકો ગણપતિ બાપ્પાની આ નાનકડી ડાયમંડજડિત મંગલમુર્તિ અને મોટા ગણપતિ બાપ્પાના દાગીના પોતાના ઘરમાં ઘરેણાની જેમ સાચવી રાખે છે. આટલાં નાના ગણપતિમાં જ 40 હજારથી 45 હજાર ડાયમંડ જડવામાં આવ્યા છે. આ મંડળનાં નાના અને મોટા બંને ગણપતિ લગભગ દોઢ લાખ જેટલાં અમેરિકન ડાયમંડથી તેનો શણગાર કર્યો છે.
ખાસ વાત આ મંડળની મંગલમુર્તિની છે. અન્ય મંડપમાં જ્યાં નાની માટીની કે પીઓપીની મૂર્તિ મુકવામાં આવે છે. ત્યાં આ મંડળ દ્રારા ડાયમંડની ફોલ્ડિંગ પ્રતિમા મૂકાય છે. જે કોઇ દાતા તરફથી આ મંડળને મળેલ છે. સોના-ચાંદી અને ડાયમંડથી મઢેલાં આ ગણપતિ બાપ્પાની મોટી પ્રતિમા ઉપરાંત બે ફુટ નાની ગોલ્ડ અને સિલ્વર બેઇઝ તેમજ ડાયમંડથી પાંદડાનાં આકારવાળી પ્રતિમા બેસાડવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
આમ,ડાયમંડ સીટી સુરતનાં ગણપતિ બાપ્પામાં પણ સોના-ચાંદી અને ખાસ તો ડાયમંડથી બનેલી ગણેશજીની પ્રતિમા અને ડાયમંડથી બનેલા આભુષણોથી સૌને આકર્ષી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:59 am, Wed, 4 September 19

Next Article