સુરતનાં ગણપતિ ડાયમંડથી જડેલા ન હોય એવું કઇ રીતે બની શકે છે. સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીના ગણપતિ ખુબ પ્રખ્યાત છે. શ્રધ્ધા અને ભક્તોની મનોકામના પુર્ણ કરવા માટે તો ખરા જ પણ તેના સાજ શણગાર માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આવો તમને બતાવીએ દાળિયા શેરીનાં ગણપતિ કે જેમને વિશેષ આભૂષણોની સજાવટ કરવામાં આવે […]
Follow us on
સુરતનાં ગણપતિ ડાયમંડથી જડેલા ન હોય એવું કઇ રીતે બની શકે છે. સુરતનાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીના ગણપતિ ખુબ પ્રખ્યાત છે. શ્રધ્ધા અને ભક્તોની મનોકામના પુર્ણ કરવા માટે તો ખરા જ પણ તેના સાજ શણગાર માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આવો તમને બતાવીએ દાળિયા શેરીનાં ગણપતિ કે જેમને વિશેષ આભૂષણોની સજાવટ કરવામાં આવે છે. બાપ્પાના મુગટને 5000 હીરાથી ચમકાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બાપ્પાના હાથ-પગ સોના-ચાંદીનાં પાણીના ઢોળની સાથે 6500 જેટલાં ડાયમંડથી મઢી દેવાયા છે. બાપ્પાના વિશાળ કાન પણ 2000 જેટલાં હિરાથી તૈયાર કરવામાં આવ્યા છે. ગણપતિને પહેરાવવા જનારા બાજુબંધ અને હાર પણ 12,500 ડાયમંડથી તૈયાર કરાયા છે.
આ ઉપરાંત સોના-ચાંદીથી બનેલાં 25 તોલા દાગીના પણ ગણપતિ બાપ્પાને ખાસ ચઢાવવામાં આવે છે. સાથે જ ગણપતિનું વાહન ગણાતાં મુષકને પણ સાત કિલો ચાંદીથી તૈયાર કરવામાં આવ્યા છે. જેની કિંમત ચાર લાખ સુધીની થવા જાય છે.
ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પાંદડાનાં આકારથી બનેલાં નાનકડા ડાયમંડ ગણેશની કિંમત અંદાજે સાડા ચાર લાખ સુધીની થવા જાય છે. અહિંના આયોજકો ગણપતિ બાપ્પાની આ નાનકડી ડાયમંડજડિત મંગલમુર્તિ અને મોટા ગણપતિ બાપ્પાના દાગીના પોતાના ઘરમાં ઘરેણાની જેમ સાચવી રાખે છે. આટલાં નાના ગણપતિમાં જ 40 હજારથી 45 હજાર ડાયમંડ જડવામાં આવ્યા છે. આ મંડળનાં નાના અને મોટા બંને ગણપતિ લગભગ દોઢ લાખ જેટલાં અમેરિકન ડાયમંડથી તેનો શણગાર કર્યો છે.
ખાસ વાત આ મંડળની મંગલમુર્તિની છે. અન્ય મંડપમાં જ્યાં નાની માટીની કે પીઓપીની મૂર્તિ મુકવામાં આવે છે. ત્યાં આ મંડળ દ્રારા ડાયમંડની ફોલ્ડિંગ પ્રતિમા મૂકાય છે. જે કોઇ દાતા તરફથી આ મંડળને મળેલ છે. સોના-ચાંદી અને ડાયમંડથી મઢેલાં આ ગણપતિ બાપ્પાની મોટી પ્રતિમા ઉપરાંત બે ફુટ નાની ગોલ્ડ અને સિલ્વર બેઇઝ તેમજ ડાયમંડથી પાંદડાનાં આકારવાળી પ્રતિમા બેસાડવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો