
શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.

આ વિશેષ અવસરે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી.
![સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. Input Credit- Yogesh Joshi]- Somnath](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/09/SOMNATH-14.jpg)
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. Input Credit- Yogesh Joshi]- Somnath