DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Dwarkadhish temple : દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્રારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી.

DEVBHUMI DWARKA : દર વર્ષે  જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં
Every year on the day of Janmashtami, the flag by a Mumbai merchant is hoisted at the Dwarkadhish temple
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 30, 2021 | 3:34 PM

DEVBHUMI DWARKA : યાત્રાધામ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારકાધીશના મુખ્ય મંદિર પર દિવસની પાંચ ધજાજી ચડે છે. દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્રારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી. મંદિરના શિખર પર ધજાજી ચડાવવામાં આવે છે. આ ધજાજી ચડાવવા માટે અગાઉથી બુંકીગ કરવામાં આવે છે. ધજાજીની નોંધણી ગુગળી બ્રાહ્મણ ટ્રસ્ટની કચેરીમાં થાય છે. આદિકાળથી પરંપરાગત ગુગળી બ્રાહ્મણને હક મળેલ છે.

2024 સુધીની ધજાજીનું બુકીંગ થઇ ગયું છે હાલ સુધીમાં 2024 સુધીની ધજાજીનુ બુકીંગ થયેલ છે. સાથે જ અંદાજે 200 જેટલી કાયમી ધજાજીનુ બુકીંગ થયેલ છે. એટલે કે નિયત દિવસે તારીખ કે તિથી મુજબની દર વર્ષનુ ધજાજીનુ બુકીંગ થયેલ છે. દિવસની પાંચ ધજાજી ચડાવવામાં આવે છે. જેમાંથી ચોથી ધજાજીનું તત્કાલ અને અગાઉ બુકીંગ થતુ નથી. તે નિયત દિવસના થોડા દિવસ પહેલા ટ્રસ્ટની કચેરી દ્વારા ભકતોને આપવામાં આવે છે.

જન્માષ્ટમી પર કોની ધજા ચડાવવામાં આવે છે ? કાયમી ધજાજી પૈકી જન્માષ્ટમીના દિવસની તિથી મુજબની ધજાજી મુંબઈ નિવાસી જાણીતા બિલ્ડર અને દ્વારકાધીશના પરમભકત મોહન જેઠાભાઈ સેંધાણી(પટેલ) પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. આ પરીવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ પર અપાર શ્રદ્ધા હોવાના કારણે દર વર્ષે ધજાજી ચડાવે છે. ખાસ ભગવાનના જન્મદિવસના દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે આ ધજાજી આ પરીવાર દ્વારા ચડાવવામાં આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દર વર્ષે મોહન જેઠાભાઈ સેંધાણીના પરિવારના સભ્યો મુંબઈથી દ્વારકા આવીને આ ધજાજીને ચડાવે છે. પરંતુ આ વર્ષે પરીવારના સભ્યો કોરોના કારણે ન આવી શકતા પટેલ પરિવારના તીર્થ પુરોહિત વિમલ પરષોત્તમ ઠાકર પરીવાર દ્વારા તેની વિધિવત પુજાવિધી કરીને ધજાજીને ચડાવવામાં આવી છે.

મનોકામના પૂર્ણ થતા પણ ધજા ચડાવાય છે ભકતો દ્વારા પોતાની માનતા-બાધા-આખડી પૂર્ણ થતા કે ભગવાન પ્રત્યે આસ્થા વ્યકત કરવા માટે ધજાજીને ચડાવવામાં આવે છે. ધજાજીની નોંધણી કરાવ્યા બાદ નિયત દિવસે 52 ગજની ધજાજીની વિધીવત પુજાવિધી કરીને તેને ભગવાન દ્વારકાધીશ ચરણોમાં અર્પણ કરીને બાદ ત્રિવેદી પરિવારના યુવાનો દ્વારા 150 ફુટ ઉચા શિખર પર ચડાવવામાં આવે છે. જેની પુજાવિધી ભકતોના તિર્થપુરોહીત દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો : Janmashtami : જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો સોશિયલ મીડિયા આ રીતે આપી રહ્યા છે શુભેચ્છા !

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">