દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમીની (Krishna Janmashtmi) ઉજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી તમામ શકયતા છે. જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર શહેરમાં પોલીસનો (Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા એસ.પીના સીધા માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 80 પીઆઈ તથા પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ તથા હોમગાર્ડઝના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા (Security) માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સહિત લાઈટિંગ અને બેરીકેટીંગ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
જન્માષ્ટમી ઉત્સવ અંગે જીલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર (District Collector) એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાશે. આ વર્ષે કોરોનાકાળ હળવો હોવાને લીધે ભક્તજનો મોટી માત્રામાં ઉમટી પડે તેવી શક્યતા છે.
મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે કલેક્ટરે આદેશ આપ્યા હતા કે સહેલાણીઓ દરિયાથી દૂર રહે તેમજ બીચ ઉપર અંદર સુધી ન જાય. હાલમાં દરિયામાં કરંટ હોવાને લીધે જોખમ ઉભું થઈ શકે છે. સાથે જ લોકો લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
Published On - 8:30 pm, Thu, 18 August 22