AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શન કર્યાં, પૂજા અર્ચના પણ કરી

વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે.

બોલિવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શન કર્યાં, પૂજા અર્ચના પણ કરી
Bollywood actress Sara Ali Khan visited Dwarkadhish and also worshiped
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:29 AM
Share

બોલિવુડ (bollywood) ની અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)  દ્વારકાધીશ (Dwarkadhish) ના દર્શને પહોંચી હતી. જ્યાં તેણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મોરબી (Morbi) જિલ્લાના વાંકાનેર પેલેસમાં ફિલ્મ (Film) ગેસલાઇટનું શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન મોરબીમાં રોકાઈ છે. જેને લઇને તે વાંકાનેર અને મોરબી વચ્ચે આવન-જાવન કરતા રહે છે. ત્યારે આજે સારા અલી ખાન દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. ગળામાં ખેસ પહેરીને મંદિરમાં જતા નજરે પડી હતી. અહીં દર્શન માટે પહોંચીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે દેવસ્થાન સમિતીની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. દ્વારકાથી તે નાગેશ્વર મંદિરે જવા નીકળી જ્યાં પણ તે પૂજા અર્ચના કરશે.

વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની આસપાસ ફરતા રહે છે. જેમાં અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. તે દ્વારકાની આસપાસના અન્ય સ્થળોની પણ મુલાકાતેપણ પહોંચી હતી.

જોકે આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં પણ  આ ટીમ શૂટિંગ માટે મોરબી આવી હતી. ત્યારે મોરબી આવી ચુકેલા સારા અલીખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો. પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે સારા અલી ખાને ચાંદલો કરાવ્યા વગર જ ગળામાં હાર પણ પહેર્યા વગર ચાલતી પકડી હતી. એક સમયે હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું.

આ પણ વાંચોઃ 31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે

આ પણ વાંચોઃ Bhavnagar: વન રક્ષક પેપર લીક કાંડમાં પાલિતાણાના ટ્યૂશન સંચાલકની કબુલાત, પરીક્ષા આપી રહેલા ઉમેદવાર માટે ફોટા મોકલ્યા હતા

ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
g clip-path="url(#clip0_868_265)">