અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા

|

Oct 01, 2019 | 6:40 AM

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે. ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના […]

અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા

Follow us on

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે.

ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના થઈ હતી. વહેલી સવારના સુમારે અંબાજી પહોંચેલી લક્ઝરી બસના શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા બાદ સાંજના સમયે પરત આવવા નીકળ્યા હતા. ચારેક વાગ્યાના આસપાસ અંબાજી-દાતા હાઈવે પર આવેલા ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસ એકાએક પલ્ટી મારી ગઈ હતી. જેને લઈને શ્રધ્ધાળુઓ લક્ઝરી બસની નીચે દબાઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગઈકાલથી નવરાત્રી શરૂ થતાં જ ખડોલ ગામના શાભઈપુરા ખાતે રહેતા જમાઈ રાવજીભાઈ હિંમતસિંહ પઢિયારે અંબાજી દર્શન કરવા જવા માટે આ લક્ઝરી બસ ભાડે કરી હતી જેમાં સૌથી વધુ શાભઈપુરાના ગ્રામજનો જોડાયા હતા. તેઓએ આસપાસના ગામોના લોકોનો સંપર્ક કરીને બસ લઈ અંબાજી ગયા હતા જ્યાંથી પરત ફરતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે એક અજાણ્યો શ્રદ્ધાળુની ઓળખ થઇ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મૃતકોની કુલ સંખ્યા =૨૧
ઘટનામાં મૃત્યુ પામનાર પુરુષો ની સંખ્યા =૧૫
ઘટનામાં મૃત્યુ પામનાર સ્ત્રીઓની સંખ્યા =૩
ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા =૩

મૃતકોનું ઉમર પ્રમાણે વર્ગીકરણ

૦ થી ૧૦ =૨
૧૧ થી ૨૦ =૪
૨૧ થી ૩૦ =૬
૩૧ થી ૪૦ =૪
૪૧ થી ૫૦ =૨
૫૧ થી ૬૦ =૧
૬૦ થી ઉપર =૨

ગામ પ્રમાણે મૃતકોની સંખ્યા

ખડોલ =૬
આંકલાવ =૧
દાવોલ =૨
સુરત =૧
પામોલ =૨
કાનવાડી =૧
અંબાવ =૧
કસુંબાડ=૧
સુદણ=૩
અંબાલી =૧
ઉત્તરપ્રદેશ=૧

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article