Dang: ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો, ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા જવાબદાર રહેશે?

|

Jul 11, 2021 | 5:42 PM

કેન્દ્ર સરકારે 8 રાજ્યના હિલ સ્ટેશન ઉપર વધતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી છે છતાં પણ સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.

Dang: ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા (Saputara) હિલ સ્ટેશન પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને લઈને સાપુતારાના કુદરતી સૌંદર્ય માણવા માટે ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.

 

ગુજરાતમાં કોરોના હળવો થતાં કોરોના (Corona virus)ના નિયમો ઘણા હળવા કરી દીધા છે. પરંતુ લાગે છે કે લોકો કોરોનાની ગંભીરતા ભૂલીને રજા માણવામાં મશગુલ થઈ ગયા છે. સામાજિક અંતરના અને ફરજિયાત માસ્ક જેવા નિયમો ભૂલીને લોકો જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

 

 

કેન્દ્ર સરકારે 8 રાજ્યના હિલ સ્ટેશન ઉપર વધતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી છે છતાં પણ સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ ઉપર નિયંત્રણ ન રહેતા ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા જવાબદાર રહે તો કદાચ નવાઈ નહીં.

 

ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. સાપુતારા ખાતે બોટિંગ, પેરાગલાઈડિંગ સહિત દરેક પોઈન્ટ ઉપર પ્રવાસીઓની છૂટને લઈને લોકોમાં ઉત્સાહ તો છે, પરંતુ સામે લોકો કોવિડ-19ની ગાઈડલાઈનને ભૂલી રહ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

 

 

આ પણ વાંચો: JUNAGADH : કેશોદમાં 10 તોલા સોનાની ચોરી, સીસીટીવીમાં કેદ થયા તસ્કરો

Next Video