વાવાઝોડાની અસરના પગલે થયેલા ગીરસોમનાથમાં ધોધમાર વરસાદથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. ભીમ અગિયારસના દિવસે જ કેરીના પાક પર બારેમેઘ ખાંગા થઈ જતા ખેડૂતો માટે મુહૂર્તના ટાણે જ રોવા જેવી દશા થઈ છે. અચાનક વરસાદ પડતા તાલાલા મેંગો માર્કેટમાં વેપારીઓને કેસર કરીને સાચવવા માટે પરસેવો વળી ગયો હતો. ગીરસોમનાથના તાલાલામાં હજુ પણ 50 ટકા કેરીનો પાક બગીચાઓમાં છે. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીને ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો