VIDEO: કોરોના વાયરસને લઈ માસ્કની માગ વધી, માસ્કની માગ સામે પુરવઠો ઓછો

|

Oct 07, 2020 | 12:54 PM

કોરોના વાયરસથી દુનિયાભરમાં ફફડાટ છે. ત્યારે મેડિકલ અને સર્જિકલની વસ્તુઓના ડિલરોએ સંગ્રહખોરી અને નફાખોરી શરૂ કરી દીધી છે. માસ્કની માગ વધતા તેની કિંમત 80 રૂપિયાથી વધીને સીધી 200 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદમાં અચાનક જ ડબલ ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ વધી જતા ડિલરોએ માસ્કની સંગ્રહખોરી શરૂ કરી છે. જેના કારણે માસ્કના ભાવ બમણા થઈ ગયા છે. […]

VIDEO: કોરોના વાયરસને લઈ માસ્કની માગ વધી, માસ્કની માગ સામે પુરવઠો ઓછો

Follow us on

કોરોના વાયરસથી દુનિયાભરમાં ફફડાટ છે. ત્યારે મેડિકલ અને સર્જિકલની વસ્તુઓના ડિલરોએ સંગ્રહખોરી અને નફાખોરી શરૂ કરી દીધી છે. માસ્કની માગ વધતા તેની કિંમત 80 રૂપિયાથી વધીને સીધી 200 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદમાં અચાનક જ ડબલ ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ વધી જતા ડિલરોએ માસ્કની સંગ્રહખોરી શરૂ કરી છે. જેના કારણે માસ્કના ભાવ બમણા થઈ ગયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખુદ મેડિકલ શોપના વેપારીઓ દાવો કરી રહ્યા છે કે ડિલરો જમાખોરી કરીને ભાવ વધારો કરી રહ્યા છે. અમદાવાદના બજારોમાં કોરોના વાઈરસના ડરથી માસ્કની માંગ વધી ગઈ છે. તેને ડર કહો કે સતર્કતા, બજારમાં માસ્કની માંગ અનેકગણી વધી ગઈ છે. જેની સામે ઉત્પાદન ખૂબ ઓછું હોવાના કારણે ભાવમાં ધરખમ વધારો થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સિંગલ લેયરનું કોટનનું સામાન્ય માસ્ક 7થી 10 રૂપિયામાં વેચાતું હતું. જેનો ભાવ હવે ડબલ થઈ ગયો છે. ત્રિપલ લેયર વાળું માસ્ક 15 રૂપિયામાં મળતું હતું, જેનો ભાવ વધીને 25થી 40 રૂપિયા થઈ ગયો છે. ત્યારે સૌથી સુરક્ષિત મનાતા N-95 માસ્કની માંગ સૌથી વધુ છે. જેમાં ફિલ્ટર ક્લિપ હોવાથી બેક્ટેરિયા કે વાઈરસ અંદર પ્રવેશી નથી શકતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક

Published On - 6:20 am, Thu, 5 March 20

Next Article