શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ

|

Aug 10, 2020 | 1:57 PM

કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો […]

શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ

Follow us on

કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જોકે ભાદરવી પૂનમના દિવસે માઇ ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે લાઇવ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મહામારીથી મા અંબા મુક્તિ અપાવે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ હેતુથી અંબાજી ખાતે મહાયજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞ તારીખ 28મી ઓગસ્ટથી શરૂ થશે અને 2જી સપ્ટેમ્બરના રોજ પૂર્ણાહૂતિ થશે.

આ પણ વાંચો: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારતા હોય તો વાંચો આ અહેવાલ, રેલવે દ્વારા લેવામાં આવ્યો છે એક મહત્વનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article