વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો છે વિવાદ. આમ તો વિધાનસભાના અધ્યક્ષ હોવાથી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરી ન આપી શકાય. પરંતુ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે RTOના કેમ્પનો ફિયાસ્કો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે વિવાદ સર્જાતા તેમણે આ કાર્યક્રમમાં પ્રવચન કરવાનું ટાળ્યું હતું. આ તરફ નાયબ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે કોઈ વિવાદ નહીં સર્જાયો હોવાનો દાવો કર્યો. નીતિન પટેલે કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ હોવાના નાતે તેમના હાથે સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું છે અને તેમાં કોઈ વિવાદ નથી.