2 ઓક્ટોબરથી શરૂ થશે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’, 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 14 રાજ્યોમાં 3500 KMનું અંતર કાપશે

|

Jul 14, 2022 | 11:19 PM

'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ તમામ અંતર પગપાળા યાત્રાના રૂપમાં નક્કી કરવામાં આવશે.

2 ઓક્ટોબરથી શરૂ થશે કોંગ્રેસની ભારત જોડો યાત્રા,  2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 14 રાજ્યોમાં 3500 KMનું અંતર કાપશે
ગુજરાત કોંગ્રેસ (સાંકેતિક તસવીર
Image Credit source: File Imag

Follow us on

કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ના (Bharat Jodo Yatra) અમલીકરણની યોજના અંગે રાજ્ય કોંગ્રેસ સમિતિઓ અને મોરચાના સંગઠનોના તમામ પ્રમુખોએ આજે ​​અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉદયપુરમાં નવ સંકલ્પ ચિંતન શિબિર  (Chintan Shibir) દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે ‘ભારત જોડો યાત્રા’ 2 ઓક્ટોબર 2022થી શરૂ થશે. આ દ્વારા કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદી સરકાર અને ભાજપ દ્વારા આપણી લોકશાહી, આપણા દેશના બંધારણ, રાષ્ટ્રની સંસ્થાઓ અને આપણા સમાજના સામાજિક ઘડતર પર વારંવાર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને તે ભારત જોડો યાત્રાનું આયોજન કરશે.

જો આમ થશે તો પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ તેમની તૈયારીઓ અંગે પ્રતિભાવ આપશે કે તરત જ યાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરવામાં આવશે. ‘ભારત જોડો યાત્રા’ 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ તમામ અંતર પગપાળા યાત્રાના રૂપમાં કરવામાં આવશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પક્ષની સમગ્ર નેતા અને કાર્યકરો ભાગ લેશે. આ પદયાત્રામાં દેશના ખૂણે-ખૂણેથી અન્ય અનેક યાત્રાઓ સામેલ થશે. પ્રવાસની ચોક્કસ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ દ્વારા કોંગ્રેસે કહ્યું કે આઝાદીના 75 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અંગ્રેજો સામે ભારતની આઝાદી માટે લડનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અને જેમણે ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિને હરાવી, વિભાજનના ઉંડા ઘા રુઝાવ્યા અને જેઓ દેશને તેનું મહાન બંધારણ આપવા અને ભારતને પ્રગતિ, સમૃદ્ધિ અને સમરસતાના માર્ગ પર લઈ જવા માટે એકસાથે આવ્યા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

‘ભારતીયોને એક કરવા માટે આ દેશવ્યાપી આંદોલન છે’

કોંગ્રેસે કહ્યું કે આજે દેશની આઝાદીની ચળવળમાં ક્યારેય ભાગ ન લેનારા લોકો દ્વારા નફરતની રાજનીતિ ચાલી રહી છે. અને જેની વિચારધારાના પરિણામે રાષ્ટ્રપિતાની હત્યા થઈ. આ સંજોગોમાં ભારત જોડો યાત્રા એ તમામ ભારતીયોને એક કરવા દેશવ્યાપી આંદોલન છે. કોંગ્રેસે કહ્યું કે અમે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આપણા દેશની સ્વતંત્રતા ચળવળમાં રહેલા મૂલ્યોની રક્ષા, જાળવણી અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છીએ. અમે નફરત, કટ્ટરવાદ અને ધ્રુવીકરણની રાજનીતિ સામે લડવા માટે સમર્પિત છીએ.

‘વર્તમાન સરકારે રોજગાર આપવા પર ધ્યાન આપવું જોઈએ’

કોંગ્રેસે કહ્યું કે અમે માનીએ છીએ કે વિભાજનકારી રાજનીતિને બદલે સરકારનું ધ્યાન કરોડો યુવાનોને રોજગાર આપવાનું છે,  કરોડો પરિવારોને આવશ્યક ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાથી મુક્તિ અપાવવા પર, ખેડૂતો અને ખેત મજૂરોના કલ્યાણ અને આરામની ખાતરી કરવા અને કરોડો આદિવાસીઓ, દલિતો અને સમાજના અન્ય નબળા વર્ગોની આજીવિકા અને સન્માનની રક્ષા કરવા માટે  જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવું જોઈએ.

Next Article