LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

|

Feb 10, 2020 | 12:16 PM

ગાંધીનગરમાં LRD આંદોલનને 63 દિવસ થઇ ગયા છે છતાં હજુ સુધી રાજ્ય સરકારે અનામતને લઇને નથી કર્યો કોઇ નિર્ણય. 20 દિવસથી યુવતીઓ અનશન કરી રહી છે. છતાં સરકારે કોઈ નિર્ણય કર્યો નથી.  આ પણ વાંચોઃ CAAના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ પોલીસે બેરિકેડ લગાવી અટકાવી Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

Follow us on

ગાંધીનગરમાં LRD આંદોલનને 63 દિવસ થઇ ગયા છે છતાં હજુ સુધી રાજ્ય સરકારે અનામતને લઇને નથી કર્યો કોઇ નિર્ણય. 20 દિવસથી યુવતીઓ અનશન કરી રહી છે. છતાં સરકારે કોઈ નિર્ણય કર્યો નથી.

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ પોલીસે બેરિકેડ લગાવી અટકાવી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ત્યારે હવે ભાજપના સાંસદે મોટો દાવો કર્યો છે. પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે ઇચ્છે છે અને વિવાદીત પરિપત્ર પાછો લેવાની તેમની ઈચ્છા છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર અનામતની આ મુશ્કેલીમાં મોટો નિર્ણય કરશે. થોડા દિવસો પહેલા પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હાલ સરકાર કાયદાકીય સલાહ લઇ રહી છે. જે બાદ અનામતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ- GADએ સુપ્રિમ કોર્ટના ચાર ચૂકાદાઓનું ખોટું અર્થઘટન કરીને ૩૩ ટકા મહિલા અનામત સંદર્ભે એક -ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ કર્યાની ફરિયાદ છે. GADના આ ઠરાવથી GPSC ક્લાસ વન-ટુ અને પોલીસ ઈન્સ્પેક્ટરની સીધી ભરતીમાં અન્યાય થાય છે તેવો આંદોલનકારીઓનો આક્ષેપ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આંદોલનકારીઓનો દાવો છે કે, આ ઠરાવ માત્ર અનામત વર્ગ જ નહી બિન અનામત વર્ગ અને બહેનો માટે પણ નુકશાનકર્તા છે. બંધારણએ આપેલા સામાન્યતાના સિધ્ધાંતોનું ખોટુ અર્થઘટન થઈ રહ્યું છે. ત્યારે હવે તમામ લોકોની નજર રાજ્ય સરકાર તરફ મંડાઇ છે..તમામ લોકો સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article