રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે છેડેલા દારૂના વિવાદ પર ફરીએકવાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ ગુજરાતીઓના કરાયેલા અપમાન બદલ ગેહલોત માફી માગે તેવી માગ કરી છે.
આ પણ વાંચોઃ નવરાત્રીની ઉજવણી દરમિયાન યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઈ…યુવતીની છેડતીનો લગાવ્યો આક્ષેપ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાને દાવો પણ કર્યો છે કે, ચૂંટણી બાદ હારથી નિરાશ થયેલા કોંગ્રેસના નેતાઓ બેફામ બફાટ કરવા લાગ્યા છે. વિજય રૂપાણીએ આક્ષેપ કર્યો છે કે, અશોક ગેહલોતને ગાંધી કે ગુજરાત ગમતું નથી. સાથે જ CMએ પડકાર પણ ફેંક્યો છે કે, વાતો કર્યા વિના. ગેહલોત રાજસ્થાનમાં દારૂબંધી કરાવી જાણે.