અમદાવાદ રેલવે સ્ટેશનના ચાલતા રિડેવલપમેન્ટ કામકાજને કારણે તેમજ સારંગપુર બ્રિજ બંધ હોવાને કારણે શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોને પડતી ટ્રાફિક હાલાકી દૂર કરવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, રેલવેના અધિકારીઓ, રેલવે પોલીસ ફોર્સના અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને સમસ્યાનો હલ ઉકેલવાની દીશામાં કાર્યવાહી કરી હતી.
નવા વિકસી રહેલ રેલવે સ્ટેશનના સરસપુર તરફના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે ચિતાર મેળવવામાં આવ્યો હતો.
5 / 7
ભવિષ્યમાં ટ્રાફિકની અગવડતા ઓછી થાય તે રીતના આયોજનને અમલમાં મૂકવાના હેતુસર રેલવે ડેવલપમેન્ટની કામગીરીની પ્રગતિની જાણકારી મેળવી હતી.
6 / 7
શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન આસપાસના તમામ રોડની મુલાકાત લેવામાં આવી હતી.
7 / 7
આ મુલાકાત દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર, રેલવેના એડીઆરએમ, આરપીએફના ડિવિઝનલ સિક્યોરિટી અધિકારીઓ, સ્ટેશન ડાયરેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમ, વેસ્ટર્ન રેલવેના નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓના ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા.