અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન […]
Follow us on
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના કેસ વધુ હોવાનું સામે આવ્યુ છે. જો કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચિકનગુનિયાના સાચા કેસનો આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.