છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત

ડેમમાં અત્યારે 73.57 મિલિયન ક્યુબીક ફુટ એટલે કે 77 ટકા જેટલો પાણીનો ભરાવો છે. પરંતુ આ પાણી ખેડૂતોના ખેતરો સુધી જવાના બદલે કોતરોમાં વહી રહ્યું છે. સરકાર ખેડૂતોના ઉત્થાન માટે દાવાઓ તો કરે છે.

છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત
Chhota Udepur: Dam in Knowledge village overflows with water, but farmers deprived of irrigation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:53 AM

છોટાઉદેપુરના (Chhotaudepur) નાલેજ ગામે છલોછલ પાણીથી ભરાયેલો ડેમ હોવા છતાં પ્રશાસનના અણધડ વહીવટના કારણે ખેડૂતો (Farmers) સિંચાઈથી( irrigation) વંચિત છે. તૂટેલી કેનાલો અને જર્જરિત કૂવાઓમાંથી પાણીનો કોતરોમાં વેડફાટ થાય છે. જ્યારે ખેતીની જમીન પાણી (Water) વગર તરસી છે.

છોટાઉદેપુર જિલ્લા મથકથી માત્ર 5 કિલોમીટર અંતરે નાલેજ ગામે સિંચાઈ ડેમ આવેલો છે. સારા ચોમાસાના કારણે ડેમ તો છલોછલ પાણીથી ભરાયેલો છે. પરંતુ ખેડૂતોને તેનો કોઈ લાભ મળતો નથી. નાલેજ, પાધરવાંટ , ઓળીઆંબા અને સીમલફળિયા એમ ચાર ગામોના 326 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે તે માટે વર્ષ 1978માં યોજના તો બનાવાઈ. પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રશાસનના ગેરવહીવટના કારણે હાલ ફક્ત બે જ ગામના 30 હેકટર સુધી જ પાણી પહોંચી રહ્યું છે.

કાચી કેનાલો અને પથ્થરથી બનાવેલા જર્જરિત કૂવાઓમાંથી પાણીનો મોટાપાયે વેડફાટ થઈ રહ્યો છે. તો યોગ્ય સમારકામના અભાવે આગળ સુધી કેનાલોમાં પાણી જતું નથી. જેને લઈ આદિવાસી ખેડૂતોને માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. ખેડૂતોનો આક્ષેપ છેકે અનેક વાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નનો કોઈ હલ આવતો નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ડેમમાં અત્યારે 73.57 મિલિયન ક્યુબીક ફુટ એટલે કે 77 ટકા જેટલો પાણીનો ભરાવો છે. પરંતુ આ પાણી ખેડૂતોના ખેતરો સુધી જવાના બદલે કોતરોમાં વહી રહ્યું છે. દસ વર્ષ અગાઉ આ ડેમ અને કેનાલો રીપેરીંગ માટે અંદાજીત 14 લાખનો ખર્ચ કરાયો હતો. જ્યારે દર વર્ષે ડિસિલટિંગ અને કેનાલો સાફ કરવા પાછળ પણ ખર્ચો કરાય છે. પરંતુ પાણીની સાથે લોકોના નાણાનો પણ વેડફાટ જ થાય છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે કેનાલો પાકી બને અને ખેતરો સુધી પાણી પહોંચે.

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં ચોમાસા બાદ જળસ્તર નીચે જતાં રહેતા હોય છે . શિયાળા અને ઉનાળામાં તો આ વિસ્તારના લોકો ખેતી કરી શકતા નથી . આ વિસ્તારના કેટલાક ખેડૂતો ફક્ત વરસાદ આધારિત જ ખેતી કરી શકે કે જેને લઈ આ પરિવારના લોકોનું ગુજરાન કરવું મુશ્કેલ બને છે. જેને લઈ આ વિસ્તારના કેટલાક ખેડૂતોને અહીથી અન્ય જગ્યાએ મજૂરી અર્થે પ્રસ્થાન કરવું પડે છે. જેને લઈ આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે જો ડેમનું પાણી મળતું થાય તો તેમણે પોતાનું માદરે વતન છોડવાનો વારો ના આવે અને તેમના જ વતનમાં ખેતી કરી શકાય.

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ મીન 24 ફેબ્રુઆરી, અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહી, પતિ-પત્નીએ એકબીજાનું સન્માન કરવું

આ પણ વાંચો : Reels ના રસિયાઓ માટે સારા સમાચાર! ફેસબુક આપી રહી છે લાખો રૂપિયા કમાવાની તક, જાણો કેવી રીતે ?

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">