કોરોનાની સાંકળ તમે પણ તોડી શકો છો? તમારા ગામ, શહેર કે વિસ્તારમાં આટલું કરો કોરોનાની ચેઈન તોડવા

|

Apr 28, 2021 | 6:29 PM

સમગ્ર ગુજરાતમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ કોરોનાએ તેની ભયાનકતાના દર્શન કરાવ્યા છે. ભાવનગરમાં કોરોના કેસની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે.

કોરોનાની સાંકળ તમે પણ તોડી શકો છો? તમારા ગામ, શહેર કે વિસ્તારમાં આટલું કરો કોરોનાની ચેઈન તોડવા

Follow us on

સમગ્ર ગુજરાતમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ કોરોનાએ તેની ભયાનકતાના દર્શન કરાવ્યા છે. ભાવનગરમાં કોરોના કેસની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અને તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કોરોનાને રોકવાના ત્યારે ભાવનગરમાં કોરોનાની સાંકળ તોડવા સમગ્ર શહેરમાં આયુર્વેદિક ઉકાળો આપવો જોઈએ.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેવો વિચાર ટીવી9ના ભાવનગરના પ્રતિનિધીએ તંત્ર અને ભાજપ સંગઠનને કરેલ અને સમગ્ર આયોજનમાં તમામને જોડવામાં કડી બનતા વિચારને બહુ મોટી સફળતા મળી અને ભાવનગરમાં આજે 36,000થી વધારે લોકોએ ઉકાળાનું સેવન કરતા અને બહુ મોટી ઉકળાની ડીમાન્ડ ઉભી થતા ભાવનગરમાં કોરોનાની ચેઈન તૂટવા માટે લોકોને એક આશા ઉભી થવા પામેલ છે.

 

 

કોરોનાના આ તોફાનમાં લોકો જુદી જુદી પદ્ધતિઓ પર સારવાર મેળવી રહ્યા છે, જેમાં એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિકની દવાઓ લઈ લોકો સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આયુર્વેદિક પદ્ધતિને બહુ મોટી સફળતા પણ મળેલ છે. ત્યારે ભાવનગરના દિહોર ખાતે આયુર્વેદિક ડોકટર તરીકે ફરજ બજાવતા વૈદરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદિક પદ્ધતિથી કોરોનાની સારવાર ખૂબ સફળ હોય અને તેમને કોરોનાની સાંકળ કઈ રીતે તોડી શકાય તે પૂછતા તેમણે જણાવેલ કે કોરોનાની સાંકળ આયુર્વેદિક ઉકાળાથી તોડી શકાય.

 

જેને લઈને ભાવનગરમાં કોરોનાની સાંકળ તોડવા અને શહેરમાં ઉકાળો મોટી માત્રામાં શરૂ કરવા ભાવનગરના ટીવી9ના પ્રતિનિધિ અજીત ગઢવીએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને મળી ઉકાળાનો પ્રયોગની વાત કરતા ડો.મહેન્દ્રસિંહને ઉકાળો બનાવવાની જવાબદારી સોંપવામાં આવેલ, ઈસ્કોનમંદિરમાં મળી વાત કરતા ઉકાળો બનાવવાની વ્યવસ્થાની સેવા ઈસ્કોન મંદિરે આપેલ અને ભાવનગર શહેર ભાજપ સંગઠનને મળી આ વિચાર તેમની સમક્ષ મુકતા તેમણે ઉકાળો સમગ્ર શહેરમાં લોકો સુધી પહોંચાડવાની અને તમામ આર્થિક સહયોગની જવાબદારી સંભાળી શહેર ભાજપે પોતે આખો પ્રોજેકટ હેન્ડલ કરતા ભાવનગર શહેરમાં આજે 3 દિવસ ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે.

 

રોજે રોજ ઉકાળાની ડિમાન્ડ વધી રહી છે. જો 15 દિવસ સુધી સતત આ રીતે લોકો ઉકાળાનું સેવન કરે તો ચોક્ક્સ કોરોનાની સાંકળ તૂટી શકે તેમ છે. ભાજપ દ્વારા રોજે ઉકાળાની માંગ વધતા ઉકાળો હજુ ડબલ માત્રામાં બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.

ભાવનગરમાં ઉકાળાને બહુ મોટી સફળતા મળી છે આશા છે કે આવનારા દિવસોમાં કોરોનાની ચેઈન તોડવામાં આ રામબાણ સાબિત થાય ત્યારે ભાવનગરની જેમ જ ગામડાઓમાં, શહેરોમાં અને પોતાના વિસ્તારોમાં આ પ્રકારે ઉકાળાનું વિતરણ કરવામાં આવે તો કોરોનાને બ્રેક મારી શકાય છે.

 

તેવું ડો.મહેન્દ્રસિંહનું દ્રઢ વિશ્વાસ સાથે માનવું છે. અહીંયા 1000 લીટરનું ડો.મહેન્દ્રસિંહ દ્વારા માપ પણ આપવામાં આવેલ છે, ગુજરાતમાં અનેક લોકો સંસ્થાઓ, મંદિરો, મોટા સમૂહ માટે ઉકાળો બનાવી શકે છે. હિમેજ 2 કિલો, બહેડા 2 કિલો, આમળાં 2 કિલો, ગળો 3 કિલો, નાગરમોથ 2 કિલો, ધાણા 2 કિલો, હળદર 1 કિલો, કરિયાતું 500 ગ્રામ, સૂંઠ 500 ગ્રામ, 1200 લીટર પાણી, ઉકાળીને 1000 લીટર બાકી રાખવું.

 

Next Article