Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
‘વાયુ’ વાવાઝોડાને લઈને ગુજરાતના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વેરાવળના ઝાલેશ્વર ખાતે પહોંચી અને દરિયાઇ વિસ્તારોની મુલાકાત લઇ અને પરિસ્થિતીની જાણકારી મેળવી હતી. વેરાવળના દરિયામાં હાલ ઉંચા મોજા ઉઠી રહ્યા છે અને દરિયો ગાંડોતુર બન્યો ત્યારે લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરવામાં આવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા મૂજબ વાવાઝોડાની તિવ્રતામાં ઘટાડો થશે અને વેરાવળને ટચ થયા વગર જ વાવાઝોડુ ત્યાંથી પસાર થઇ જશે. વહીવટી તંત્ર તમામ આફતનો સામનો કરવા માટે સજ્જ છે અને કોઇ પણ પ્રકારની જાનહાની ન થાય તેના માટે તૈયારીઓ કરવામાં આવેલ છે.