
આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ એક વ્યક્તિમાં ઈબોલાના લક્ષણ દેખાતા ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આફ્રિકાના કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા આવેલા 3 માંથી એકે તાવની ફરિયાદ કરી હતી. જે બાદ મંગળવાળે રાત્રે તેમને વડોદરાની બેંકર્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. 37 વર્ષીય વ્યક્તિમાં શરદી-ખાંસીના તીવ્ર લક્ષણો હતા. અને તે કોંગોથી આવ્યાનું સામે આવતા બુધવારે સવારે હોસ્પિટલે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
યુવકના બે મિત્રો તેમજ તેમના સંપર્કમાં આવેલ તબીબને હાલ ક્વોરન્ટાઈન કરાયા છે. તો આફ્રિકાના દેશોનો પ્રવાસ કરીને આવનાર કુલ 11 લોકોને આઈસોલેશનમાં રખાયા છે. દર્દીને ઈબોલા જ થયો છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી. સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા છે. જો કે દર્દી 5 દિવસ વડોદરાની હોટલમાં રોકાયો હતો. ત્યારે તે કોના સંપર્કમાં આવ્યો હતો. અને ક્યાં-ક્યાં ગયો હતો. તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તો હાલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ વોચ વધારી દેવાઈ છે. આફ્રિકાના દેશોથી આવનારા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરાયું રહ્યું છે.
હોસ્પિટલે આરોગ્ય તંત્રને જાણ કરતાં અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.શંકાસ્પદ દર્દીના બે મિત્રો સહિત એક તબીબ પણ આઈસોલેશનમાં છે.દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવ્યા છે.
આઈએમએના જણાવ્યા મુજબ ઈબોલા ઈફેક્ટેડ થયેલા વ્યક્તિા બ્લડ શરીરમાંથી ઉલ્ટી કે સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ સંક્રમણનું મોટું કારણ બની શકે છે. લેટરમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઈબોલા નોર્મલ પરિસ્થિતિમાં હવા દ્વારા ફેલાતો નથી. આ કોવિડ 19 જેટલો જલ્દી સંક્રમણ ફેલાવનાર વાયરસ નથી.આઇએમએએ લોકોને સતર્ક રહેવા અને ચેપ અટકાવવા માટે આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
આફ્રિકામાં ઇબોલાએ મચાવેલા વિનાશને ધ્યાનમાં રાખીને, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરી છે.
Published On - 2:07 pm, Thu, 28 May 26