
સુરતથી અમદાવાદ જઈ રહેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર વાગવાની ઘટના સામે આવી છે. સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો, જેમાં ટ્રેનના કોચ નંબર 6 અને 10ની બારીના કાચ પર પથ્થરમારો કરવામાં આવો હતો.
આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હોવાથી રેલવે સુરક્ષા દળ (RPF) તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 9:35 pm, Tue, 25 August 26