AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત
| Updated on: Apr 29, 2026 | 5:02 PM
Share

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે કટને બંધ કરાયો

6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત થતા જ અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ હાઈવ પર ટ્રાફિક જામ થયો હતો.સાબરકાંઠા  જવાનગઢ અકસ્માત બાદ ગેરકાયદે કટ બંધ કરાયો છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પરના ગેરકાયદે કટને બંધ કરાયો છે.નેશનલ હાઈવે પર શરુ કરાયેલ ગેરકાયદેસર કટને પોલીસે બંધ કર્યો છે.વળાંક નજીક જોખમી સ્થળે કટને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયોની પ્રાથમિક અનુમાન છે. પોલીસે બેરિકેડ લગાવીને કટને બંધ કર્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીના નિરીક્ષણમાં બેદરકારી હોવાની આશંકા,એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી ક્લેકટર, સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદેસર હાઈવે કટ બંધ કરાશે.અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવાશે,ભવિષ્યમાં અકસ્માતના જોખમ ના સર્જાય એ માટે કાર્યવાહી કરાશે.

હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક અકસ્માતમાં 6ના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે.CCTV મુજબ કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું અનુમાન છે.કારચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારમાં અચાનક બ્રેક મારી હતી,કાર અચાનક ધીમી કરી બ્રેક કરતા ખાનગી બસે અડફેટે લીધી હતી.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

 

Follow Us
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">