Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત
સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે.

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Follow Us
