AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કિંગ ઓફ સાળંગપુર: સાળંગપુર ખાતે દાદાની 54 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું સંધ્યા સમયે થયું અનાવરણ, હનુમાન દાદાનો થયો જયઘોષ, જુઓ Video

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો.

Breaking News: કિંગ ઓફ સાળંગપુર: સાળંગપુર ખાતે દાદાની 54 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું સંધ્યા સમયે થયું અનાવરણ, હનુમાન દાદાનો થયો જયઘોષ, જુઓ  Video
| Updated on: Apr 05, 2023 | 8:42 PM
Share

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. કિંગ ઓફ સાળંગપુર’: દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા 7 કિમી દૂરથી પણ દેખાશે. દાદાની મૂર્તિને 5000 વર્ષ સુધી કંઈ જ ન થાય તે રીતે આખી મૂર્તિ  તૈયાર કરવામાં આવી છે.

‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/ObwOGRyDif

— Tv9 Gujarati (@tv9gujarati) April 5, 2023

દાદાનું મનોહર મુખારવિંદ જોઈને ભક્તજનો થયા ગદગદિત

મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છેહનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.

HANUMAJI MUKHARVIND. jpg

આ  પણ વાંચો: Botad: સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના સંત ગોપાળાનંદ સ્વામીએ શા માટે કરી હતી ? જાણો આ ભવ્ય મંદિરની સ્થાપનાનો ઇતિહાસ

HANUMANJI BREAKING STORY

હનુમાનજીની પ્રતિમાની આ વિશેષતાઓ   છે

મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે.

હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.

જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. હનુમાનજીના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે.

સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.

પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે

આસો વદ પાંચમે થઈ હતી મંદિરની સ્થાપના

વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.

ખૂણે ખૂણેથી લોકો આવે છે હનુમાનજીના દર્શન કરવા

ગુજરાત તેમજ દેશમાંથી પણ ભાવિકો અહીં દર્શન કરવા આવે છે તેમજ વિદેશમાંથી પણ આસ્થાળુઓ કષ્ટભંજન દેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર, પૂનમ, અમાસ, હનુમાન જયંતિ, કાળી ચૌદસ અને વિવિધ તહેવારના દિવસો દરમિયાન અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. અહીં સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ મળે છે તેમજ આવનારા યાત્રિકો માટે રહેવા તેમજ ભોજનની પણ અહીં સુંદર વ્યવસ્થા છે. કષ્ટભંજન મંદિર વડતાલ મંદિરના તાબા હેઠળ આવે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">