Breaking News : જૂનાગઢમાં ગિરનાર રોપ-વે સેવા બીજા દિવસે પણ બંધ, પવનની ગતિ વધતા લેવાયો નિર્ણય
વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે. જો કે તેના પગલે અનેક જિલ્લાઓમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. જ્યારે ગિરનાર ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ છે. જેના પગલે આજે બીજા દિવસે પણ રોપ- વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Junagadh : ગુજરાતના(Gujarat) દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય (Cyclone Biparjoy) વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 480 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે. જો કે તેના પગલે અનેક જિલ્લાઓમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. જ્યારે ગિરનાર ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ છે. જેના પગલે આજે બીજા દિવસે પણ રોપ- વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.