
પાટણ : ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને પાટણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમાજ દ્વારા કિંજલ રબારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી હોવાના દાવા પણ સામે આવ્યા છે.
આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. કિંજલ રબારીએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમલગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે. તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેઓ તેના પ્રેમલગ્નને કારણે વિરોધ કરી રહ્યા છે.
વિવાદ વકરતા કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે. જેથી હું આ બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજને ખૂબ કદર કરું છું. પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે, એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે.
કિંજલ રબારીએ વધુમાં ઉમેર્યું કે, તેણે એડવોકેટનો સંપર્ક કરીને કાયદેસરના પગલા લીધા છે અને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેણે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી છે કે, મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે.
બીજી તરફ રબારી સમાજ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલનો સંપર્ક કરવા અને તેને પરત લાવવા માટેના પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે. હાલ કિંજલ રબારી ક્યાં છે તેની ભાળ મળતી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં પોતાના પરિવાર અને સમાજને જ જવાબદાર ઠેરવ્યા છે. આ વિવાદ હજુ વધુ વકરે તેવી શક્યતાઓ છે, કારણ કે કિંજલ રબારીએ પોતાના પતિના રક્ષણ માટે પણ અપીલ કરી છે. આ મામલે તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
AC Using Tips : 24 કલાક AC ચલાવવું સલામત છે કે જોખમી? નિષ્ણાતોની ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Published On - 12:52 pm, Thu, 12 March 26