Gujarati NewsGujaratEarthquake hit gujarat for the second time in a day earthquake tremors felt in saurashtra at 2 pm
Breaking News : દિવસમાં બીજી વાર ગુજરાતમાં આવ્યો ભૂકંપ, સૌરાષ્ટ્રમાં બપોરે 2 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake : ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે પછી બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Follow us on
ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે પછી બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. માંગરોળથી 57 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. સૌરાષ્ટ્રમાં 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે. સિસ્મેક ઝોન 5માં સમાવેશ થતા કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 10 કિલોમીટરના અંતરે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. સવારે 7.35 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રની ધરા બપોરે 2 કલાકે ધ્રુજી છે. જૂનાગઢના માંગરોળથી 57 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે.
12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.