AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો

અદાણી ગેસે CNG અને PNC ગેસના ના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. જેના લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો
AdanI Gas
| Updated on: Apr 08, 2023 | 12:09 AM
Share

ગુજરાતમાં અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. સીએનજીમાં ભાવ ઘટાડાને  લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, CNG-PNG જેવા પ્રાકૃતિક ગેસના ભાવમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થઈ શકે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને ગુરુવારે મંજૂરી આપી  હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે, અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ – હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.

શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે

આ નિર્ણયથી આગામી બે દિવસમાં એટલે કે શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થશે. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે.

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલયને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેબિનેટે કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.

શું હશે નવી ફોર્મ્યુલા?

નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી ફોર્મ્યુલા હેઠળ, છેલ્લા એક મહિનાથી ભારતીય ક્રૂડ બાસ્કેટના ભાવને સ્થાનિક કુદરતી ગેસના ભાવના આધાર તરીકે લેવામાં આવશે. અગાઉ જૂના ફોર્મ્યુલા હેઠળ, વિશ્વના ચારેય ગેસ ટ્રેડિંગ હબની છેલ્લા એક વર્ષની કિંમતની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.

સરકારનો દાવો છે કે નવી ફોર્મ્યુલા લાગુ થવાથી CNG-PNGનો ભાવ સસ્સતો થશે. આ સાથે ઘરેલું ગ્રાહકોને વધુ સ્થિર ભાવે ગેસ મળશે. આ સિવાય ખાતર બનાવતી કંપનીઓને સસ્તો ગેસ મળશે, જેના કારણે ખાતરની સબસિડીમાં ઘટાડો થશે. નવી ફોર્મ્યુલા લાગુ થવાથી એનર્જી સેક્ટરને સસ્તો ગેસ મળશે. આ સાથે સ્થાનિક ગેસ ઉત્પાદક દેશને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">