AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો

અદાણી ગેસે CNG અને PNC ગેસના ના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. જેના લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો
AdanI Gas
| Updated on: Apr 08, 2023 | 12:09 AM
Share

ગુજરાતમાં અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. સીએનજીમાં ભાવ ઘટાડાને  લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, CNG-PNG જેવા પ્રાકૃતિક ગેસના ભાવમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થઈ શકે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને ગુરુવારે મંજૂરી આપી  હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે, અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ – હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.

શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે

આ નિર્ણયથી આગામી બે દિવસમાં એટલે કે શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થશે. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે.

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલયને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેબિનેટે કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.

શું હશે નવી ફોર્મ્યુલા?

નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી ફોર્મ્યુલા હેઠળ, છેલ્લા એક મહિનાથી ભારતીય ક્રૂડ બાસ્કેટના ભાવને સ્થાનિક કુદરતી ગેસના ભાવના આધાર તરીકે લેવામાં આવશે. અગાઉ જૂના ફોર્મ્યુલા હેઠળ, વિશ્વના ચારેય ગેસ ટ્રેડિંગ હબની છેલ્લા એક વર્ષની કિંમતની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.

સરકારનો દાવો છે કે નવી ફોર્મ્યુલા લાગુ થવાથી CNG-PNGનો ભાવ સસ્સતો થશે. આ સાથે ઘરેલું ગ્રાહકોને વધુ સ્થિર ભાવે ગેસ મળશે. આ સિવાય ખાતર બનાવતી કંપનીઓને સસ્તો ગેસ મળશે, જેના કારણે ખાતરની સબસિડીમાં ઘટાડો થશે. નવી ફોર્મ્યુલા લાગુ થવાથી એનર્જી સેક્ટરને સસ્તો ગેસ મળશે. આ સાથે સ્થાનિક ગેસ ઉત્પાદક દેશને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">