AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગરના દશાડા પાટડી હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચારનાં મોત

સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાટડી દશાડા હાઇવે પર રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત થયા છે.

Breaking News : સુરેન્દ્રનગરના દશાડા પાટડી હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચારનાં મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 1:59 PM
Share

Surendranagar : સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાટડી દશાડા હાઇવે પર રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત થયા છે.

આ પણ વાંચો-Vadodara : આગમન પહેલા વિધ્નહર્તાને જ નડ્યું વિધ્ન, રસ્તા પર પડેલા ખાડાને કારણે ગણેશજીને લઈ જતી ટ્રોલી પલટી, જુઓ Video

ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત

સુરેન્દ્રનગરના દશાડા-પાટડી હાઇવે પર દશાડા અને જેમનગઢ વચ્ચે રુસ્તમગઢનું પાટિયુ આવે છે.જ્યાં વહેલી સવારે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ જતી કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત થયા બાદ કાર નજીકના ખાડામાં ખાબકી ગઇ હતી.જેમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતકો રાજકોટના હોવાની માહિતી

અકસ્માતની ઘટના બનતા આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે પછી તપાસ કરતા કારમાં સવાર પરિવાર રાજકોટનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.મૃતદેહ પાસેથી મળેલા આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ રાજકોટ તરફના હોવાનું સામે આવ્યુ છે. જેથી આ પરિવાર રાજકોટનું હોવાનું સામે આવ્યુ છે. હાલ આ અકસ્માત મામલે સ્થાનિક પોલીસ રાજકોટ પોલીસનો સંપર્ક કરી રહી છે.

(વીથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">