AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: અમદાવાદમાં RSSના વડા મોહન ભાગવત અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખાસ બેઠક, 1 કલાક કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે બેઠક

અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.

Breaking news: અમદાવાદમાં RSSના વડા મોહન ભાગવત અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખાસ બેઠક, 1 કલાક કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે બેઠક
| Updated on: Apr 03, 2023 | 6:43 PM
Share

અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.  બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ધાર્મિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓના મનોમંથનનું એપી સેન્ટર બન્યું છે.  અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં RSSના વડા મોહન ભાગવત ઉપસ્થિત છે.  તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ધર્મ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે.

દેશભરમાંથી હિંદુ સંપ્રદાયના પૌરાણિક મઠના સંતોષ ધર્માચાર્યોની હાજરીમાં વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સરકાર અને સંતોની હાજરીમાં ધાર્મિક બાબતો પર મંથન કરાશે.  આ સંત મહાસંમેલનમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ અંગે પણ ચર્ચા થઈ શકે છે.  2024 લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતનો દેશભરના ટોચના સંતો સાથેના સંવાદને મહત્વનો માનવામાં આવે છે.

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં દેશભરના સંતો-મહંતો અને સંઘના આગેવાનો મહત્વના મુદ્દે ચર્ચા કરશે. જેમાં હિંદુ મંદિરોના જીર્ણોદ્ધાર, મંદિરોમાં સરકારના વહીવટ, હિંદુ મંદિરોને મળતા દાનનો ધર્મકાર્યોમાં વધુ ઉપયોગ કરવા અંગે ભાર મુકાશે. આ ઉપરાંત આદિવાસી કલ્યાણની નવી યોજનાની સાથે જ ગૌ-સેવાનો વ્યાપ વધારવા પર મંથન થશે. હિંદુ પરંપરા અનુસારના શિક્ષણની સાથે જ સમાજના વિવિધ વર્ગોનું ઉત્થાન થાય તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">