Breaking News : અંક્લેશ્વરથી વંદે ભારતમાં જીવતું હૃદય અમદાવાદ પહોંચ્યું, દર્દીને મળશે નવું જીવન, જુઓ Video

વંદે ભારત ટ્રેનથી ફરીવાર જરૂરિયાતમંદને નવું જીવન મળશે. અંક્લેશ્વરથી ટ્રેનમાં જીવતું હ્રદય અમદાવાદ લાવવામાં આવ્યું,અંકલેશ્વરમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. ત્રણ દિવસમાં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ લવાયું છે.

Breaking News : અંક્લેશ્વરથી વંદે ભારતમાં જીવતું હૃદય અમદાવાદ પહોંચ્યું, દર્દીને મળશે નવું જીવન, જુઓ Video
| Edited By: | Updated on: Aug 02, 2026 | 2:07 PM

વંદે ભારત ટ્રેનની મદદ થી ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા અંકલેશ્વરથી ટ્રેનમાં હૃદય અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું છે. ત્રણ દિવસ માં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા. હોસ્પિટલ લાવવા વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3 દિવસમાં બીજી વખત વંદે ભારત બની જીવનદાતા

હોસ્પિટલ થી ગ્રીન કોરિડોર દ્વારા રેલવે સ્ટેશન સુધી હૃદય ગણતરીની મિનીટોમાં પહોંચાડાયુ હતુ. હવે અંગદાન માં મળેલા હ્રદયને ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે. ગણતરીના કલાકોમાં ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરવું આવશ્યક હોવાથી ઝડપી અને સમયબદ્ધ પરિવહન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

 

 

જીવતું હ્રદય પહોંચાડાયું

મહત્વનું છે કે અગાઉ ત્રણ દિવસ પહેલા સુરતથી અમદાવાદ જીવતું હ્રદય પહોંચાડાયું હતું. અંગદાનમાં મળેલા હ્રદયને વંદે ભારત ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ત્યારે ફરીવાર યુએન મહેતા હોસ્પિટલ દ્વારા વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરીને ઝડપથી હ્રદય પહોંચાડવામાં આવ્યું.મહત્વનું છે કે, અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે ત્યારે વંદેભારતની ઝડપી ગતિ અને સમયબદ્ધ પરિવહન દ્વારા હ્રદય મોકલવામાં આવતા ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે.

વંદેભારત ની તેજ ગતિની મદદથી ગુજરાતમાં ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. યુ એન મહેતાનું 78 મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.