
વંદે ભારત ટ્રેનની મદદ થી ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા અંકલેશ્વરથી ટ્રેનમાં હૃદય અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું છે. ત્રણ દિવસ માં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા. હોસ્પિટલ લાવવા વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ થી ગ્રીન કોરિડોર દ્વારા રેલવે સ્ટેશન સુધી હૃદય ગણતરીની મિનીટોમાં પહોંચાડાયુ હતુ. હવે અંગદાન માં મળેલા હ્રદયને ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે. ગણતરીના કલાકોમાં ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરવું આવશ્યક હોવાથી ઝડપી અને સમયબદ્ધ પરિવહન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
મહત્વનું છે કે અગાઉ ત્રણ દિવસ પહેલા સુરતથી અમદાવાદ જીવતું હ્રદય પહોંચાડાયું હતું. અંગદાનમાં મળેલા હ્રદયને વંદે ભારત ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ત્યારે ફરીવાર યુએન મહેતા હોસ્પિટલ દ્વારા વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરીને ઝડપથી હ્રદય પહોંચાડવામાં આવ્યું.મહત્વનું છે કે, અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે ત્યારે વંદેભારતની ઝડપી ગતિ અને સમયબદ્ધ પરિવહન દ્વારા હ્રદય મોકલવામાં આવતા ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે.
વંદેભારત ની તેજ ગતિની મદદથી ગુજરાતમાં ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. યુ એન મહેતાનું 78 મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે.