AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી: ભાજપ

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:40 PM
Share

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે સંગઠન પદાધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી.

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે સંગઠન પદાધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠક પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ  બેઠકના અંતે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પડકાર નથી. ગુજરાતના રાજકારણ ક્યારે ત્રીજો મોરચો સફળ થયો નથી. તેમજ જો ત્રીજો મોરચો આવશે તો પણ મહદઅંશે કોંગ્રેસના વોટ તોડશે. ભાજપે તેના તમામ સ્તરે  તૈયારીઓ આરંભી દીધી છે.

 

 

આ પણ વાંચો: CM રૂપાણી: ઓળી જોળી પીપળ પાન Dragon Fruitનું ‘કમલમ્’ નવુ નામ!

g clip-path="url(#clip0_868_265)">