Gujarati NewsGujaratBin sachivalay exam cancelled gujarat hm pradipsinh jadeja announced navi exam vishe pradeepsinh jadeja e shu kahyu
બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવાઈ છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાહેરાત કરી છે. મહત્વનું છે કે, SITનો રિપોર્ટ આજે સરકારને સોંપાઈ ગયો હતો. જે બાદ પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમા સરકારે સ્વીકાર્યું કે, બિનસચિવાલય વર્ગ 3ની પરીક્ષાના કેટલાક કેન્દ્ર પર ગેરરીતિઓ થઈ છે. ઉમેદવારોએ રજૂ કરેલા સીસીટીવી […]
Follow us on
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવાઈ છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાહેરાત કરી છે. મહત્વનું છે કે, SITનો રિપોર્ટ આજે સરકારને સોંપાઈ ગયો હતો. જે બાદ પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમા સરકારે સ્વીકાર્યું કે, બિનસચિવાલય વર્ગ 3ની પરીક્ષાના કેટલાક કેન્દ્ર પર ગેરરીતિઓ થઈ છે. ઉમેદવારોએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ અને પુરાવા સાચા છે.
ગૃહપ્રધાને કહ્યું કે, વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ સોંપ્યા હતા. CCTVની તપાસમાં કેટલાક કેન્દ્ર પર મોબાઈલમાંથી પેપર લખતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ખુલાસો SITની તપાસમાં સામે આવ્યું છે. SITનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપવામાં આવ્યા બાદ સિનિયર મંત્રીઓની હાજરીમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો હતો. જે બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચવ્યું કે, વિદ્યાર્થીઓની સાથે અન્યાય થવા દઈશું નહીં. અને જો પરીક્ષામાં નાની પણ ખામી સામે આવે કે, પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવાની રહેશે. મુખ્યપ્રધાનના સૂચન બાદ પરીક્ષા રદ કરી દેવાઈ છે.