Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ

Surat માં સરાહનીય કામગીરી જોવા મળી છે. પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી.

Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ
રિસાયકલ પ્રોજેક્ટ હેઠળ સરાહનીય કામ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 1:58 PM

થોડા દિવસ પહેલા જ વર્લ્ડ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ તેમ સાઇકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે તેને જોતા લોકોએ હવે સાઇકલ ચલાવવા તરફ વળવાની વધુ જરૂર પણ લાગી રહી છે.

સુરતમાં ઘણી જગ્યાએ લોકો દ્વારા સાઈકલ ચલાવવાનું બંધ કરાતા આવી સાઈકલો અવાવરી જગ્યાએ કે રસ્તે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી જાય છે. કેટલાક લોકો પાસે આવી સાઇકલ ધૂળ ખાતી હાલતમાં પણ મળી આવે છે. સાઇકલની કોઈ રિસેલ વેલ્યુ પણ નહીં હોવાથી કોઈ તેને ખરીદવા કે વેચવા પણ તૈયાર થતું નથી.

આવા સમયે પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી. અને આવી 21 જેટલી રીસાઇકલ થયેલી સાઈકલને 21 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજી ભાલાળાએ તેમની વરાછા બેંકમાં પણ કર્મચારીઓને સાઇકલ લઈને આવવા પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોજેકટ વિશે તેમણે જણાવ્યું હતું કે આવી સાઈકલો આમ પણ ભંગારમાં કાટ ખાય છે પણ તેનો રિયુઝ કરી શકાય છે. જે હેઠળ તેમણે આ પ્રયત્ન કર્યો છે.

આ ઉપરાંત બાઇસિકલ મેયર સુનિલ જૈને જણાવ્યું હતું કે લોકોમાં સાઈકલનો ઉપયોગ વધે તે માટે તેઓ જાગૃતિ લાવવાનું કામ કરે છે. પ્રોજેકટ રિસાયકલ અંતર્ગત હાલ તેમણે 21 સાઇકલ વેસ્ટમાંથી બેસ્ટ રીતે તૈયાર કરી છે. અને હજી 25 સાઇકલ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનામાં જે વિદ્યાર્થીઓ નિરાધાર બન્યા છે અથવા જેમની આર્થિક સ્થિતિ નબળી બની છે, એવા વિદ્યાર્થીઓને આ સાઇકલ આપવાનો તેમણે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા

આ પણ વાંચો: એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">