ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ

|

Feb 17, 2020 | 12:14 PM

ભુજની મહિલા હોસ્ટેલમાં મહિલાઓના ચેકિંગનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ કથા દરમિયાન હાજર ભક્તોને માસિક ધર્મના નિયમો અને જો માસિક ધર્મના નિયમો ન પાળ્યા તો કેવું ફળ ભોગવવું પડશે તે સમજાવે છે. વાયરલ વીડિયોમાં સ્વામી કૃષ્ણસ્વરૂપ એવો દાવો કરે છે […]

ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ

Follow us on

ભુજની મહિલા હોસ્ટેલમાં મહિલાઓના ચેકિંગનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ કથા દરમિયાન હાજર ભક્તોને માસિક ધર્મના નિયમો અને જો માસિક ધર્મના નિયમો ન પાળ્યા તો કેવું ફળ ભોગવવું પડશે તે સમજાવે છે. વાયરલ વીડિયોમાં સ્વામી કૃષ્ણસ્વરૂપ એવો દાવો કરે છે કે જો કોઈ વ્યક્તિ એકવાર રજસ્વલા સ્ત્રીના હાથનું ખાઈ લે તો તેણે નકરમાં જવું પડે. અને જો રજસ્વલા સ્ત્રી પોતાના પતિને ખવડાવે તો તે શ્વાન બની જાય.

આ પણ વાંચોઃ ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટરો ફસાયા હતા…સૌના શ્વાસ થયા અધ્ધર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં વિવાદ વકર્યા બાદ હવે ટ્રસ્ટીઓએ માસિક ધર્મ પાડવાના નિયમમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે. તો બીજી તરફ પોલીસ અધિકારીઓએ આચાર્ય સહિત ચાર લોકોને નિવેદન માટો બોલાવ્યા છે. શક્યતા છે કે નિવેદન લીધા બાદ ચારેયની ધરપકડ થઇ શકે છે. ગઇકાલની તપાસ બાદ આજે મહિલા આયોગને યુવતીઓએ માસિક ધર્મ પાડવા મુદ્દે ફરિયાદ કરી હતી. ત્યારે મહિલા આયોગની ટકોર બાદ ટ્રસ્ટ દ્વારા માસિક ધર્મ પાડવાના નિયમમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજી તરફ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભુજની હોસ્ટેલ વિવાદને શરમજનક ગણાવી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે કુલપિત સાથે વાતચીત કરીને માહીતી મેળવી હોવાની સ્પષ્ટતા કરી છે. અને ભવિષ્યમાં આ પ્રકારનુ કૃત્ય કરવામાં ન આવે તથા આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સુચના આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:13 pm, Mon, 17 February 20

Next Article