Bhavnagar : કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ દિવસ,કહ્યુ “બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ થશે”

|

Aug 21, 2021 | 4:22 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની (Mansukh Mandviya) જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ છે,તેમણે પાલિતાણાથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

Bhavnagar : ભાજપ દ્વારા નવા કેબિનેટ મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirwad Yatra) આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર શહેરમાં ચાર દિવસની જન આશીર્વાદ યાાત્રા કાઢવામાં આવી. તમને જણાવી દઈએ કે, તેમના હોમ ટાઉન પાલીતાણાથી જન આશીર્વાદ યાાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ટુંક સમયમાં 12 વર્ષથી વધુ વયના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે

જ્યારે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદ રેલીનો અંતિમ દિવસ છે.ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે,ટુંક સમયમાં 12 વર્ષથી વધુ વયના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.આપને જણાવી દઈએ કે ઝાયડસ કેડિલાની (Zydus cadila)વેક્સિનને ઈમરજન્સી મંજુરી આપવામાં આવી છે,જેથી બાળકો માટે પ્રથમ વેક્સિન દેશમાં ઉપલબ્ધ થઈ છે.ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં કોરોનાની કુલ છ વેક્સિનને મંજુરી આપવામાં આવી છે. જેમાં ભારતની સ્વદેશી બે વેક્સિનનો સમાવેશ થાય છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ વેક્સિનેશન અંગે જણાવ્યુ હતુ કે,દરરોજ 55 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે.ઉપરાંત જણાવ્યુ કે,વેક્સિનેશનનું ઉત્પાદન અને વેક્સિનેશનની (Vaccination) ગતિ વધારવામાં આવી છે અને  દેશમાં ઝડપથી વેક્સિનેશન થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે.

આગામી 2022ની વિધાનસભાની ચુંટણીને લઈને તેમણે જણાવ્યુ કે,આગામી વિધાનસભાની ચુંટણીમાં (Election) ભાજપની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે જનતાના આશીર્વાદ પાર્ટી સાથે જ છે.

 

આ પણ વાંચો: Ahmedabad : કોઇ યુવતીને તેના બાળકનો પિતા કોણ છે ? તે કહેવા દબાણ કરી શકાય નહીં : હાઇકોર્ટ

આ પણ વાંચો:GUJCET Result 2021 Updates : ગુજકેટનું પરિણામ જાહેર થયું, કહી ખુશી કહી ગમનો માહોલ

 

 

Next Video