AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ન હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં, વીમા અને સબસીડી સહિતના કોઈ કામ થતાં નથી

ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાર્ડને રાજકીય અખાડો બનાવી દેવાયો છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. આવી સ્થિતિ આવવા પાછળનું કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ યાર્ડને કબજે લેવાની લ્હાયમાં કોર્ટ મેટરો પણ થઈ છે.

Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ન હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં, વીમા અને સબસીડી સહિતના કોઈ કામ થતાં નથી
Bhavnagar marketing yard
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 6:52 AM
Share

ભાવનગર (Bhavnagar) નું માર્કેટિંગ યાર્ડ (marketing yard) આજકાલ ધણીધોરી વગરનું છે, જેને કારણે ખેડૂતો (Farmers) ની હેરાનગતિનો પાર નથી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર જીલ્લો અને આજુબાજુના નાના ગામડાઓમાંથી ખેડૂતો પોતાની ખેતપેદાશો (products) ના વેચાણ માટે આવે છે, પરંતુ હાલમાં ભાવનગર માર્કેટિંગયાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ના હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના વીમા, સબસીડી અને યાર્ડના વહીવટી અને રૂટીન ખર્ચના એક પણ કામ થતા નથી. ભાજપ અને કોંગ્રેસના અહમના ટકરાવ વચ્ચે હાલમાં ભાવનગર માર્કેટિંગયાર્ડની સ્થિતિ ભારે દયનીય છે. યાર્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાના લીધે ચોરીની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાર્ડને રાજકીય અખાડો બનાવી દેવાયો છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે.

આવી સ્થિતિ આવવા પાછળનું કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ યાર્ડને કબજે લેવાની લ્હાયમાં કોર્ટ મેટરો પણ થઈ છે. જેને લઈને તટસ્થ ચૂંટણી નથી થઈ શકી. છેલ્લે ભાજપનું બોર્ડ હતું ત્યારબાદ હાલમાં અહીં વહીવટદાર છે. આક્ષેપ એવો છે કે ભાજપ બધા ચોકઠાં ગોઠવી સત્તા પર આવવા માંગે છે જેની સામે કોંગ્રેસ પણ કાંઈ કાચું કાપવા નથી માગતી. બંને પક્ષોના કમઠાણમાં નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે. આ તરફ વેપારીઓની માગ છે કે ભાવનગર યાર્ડમાં વહેલામાં વહેલી ચૂંટણી લાવી અને વિઝન વાળા માણસો સત્તા પર બેસે તે બહુ જરૂરી છે. જેથી લોકોની મુશ્કેલી ઉકેલી શકાય.

જોકે વહીવટદાર આ તમામ આક્ષેપોને ફગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે યાર્ડમાં બધું કામ યોગ્ય રીતે જ થઈ રહ્યું છે. અવ્યવસ્થા જેવી કોઈ વાત નથી. કારણ ગમે તે હોય પરંતુ ખેડૂતોના હિત માટે કામ કરતું માર્કેટિંગ યાર્ડમાં રાજકારણનો અખાડો બની જાય અને તેના કારણે ધરતીપૂત્રો કે વેપારીઓએ હેરાન થવાનું આવે તેનાથી યાર્ડની છબી તો ખરાબ થશે પણ ખરીદ-વેચાણમાં પણ મુશ્કેલી ઉભી થશે.

આ પણ વાંચોઃ Ahmedabad : ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઇ, ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવામાં આવી

આ પણ વાંચોઃ Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">