ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે.ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના પ્રથમ માળેથી મૃતદેહ મળી આવ્યો છે.સરકારી શાળાના શિક્ષકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો આવ્યો છે.શિક્ષકના ઘરેથી દારૂની અડધી બોટલ પણ મળી આવી પોલીસે શંકાસ્પદ મૃતદેહને લઈ વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે ભાવનગરના 4 પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત થતી જાણકારી અનુસાર સિહોર તાલુકાના સોનગઢ ગામની સરકારી શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ પરમાર ની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ તેના ઘરેથી જ મળી આવી છે. ઘર માંથી શંકાસ્પદ અને કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. તેમાં ઉપેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ, ખરકડી ગામ, કાર્તિક અસ્વીનભાઈ મકવાણા, ભરતનગર, ભાવનગર , કનકસિંહ હનુભા ગોહિલ, રુવા, ભાવનગર, ઘનસ્યામસિંહ જયમલસિંહ જાડેજા. કાળીયાબીડ, ભાવનગર, જયારે નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિનું પણ ઝેરી દારૂ પીતા મોત થયું છે.હિતેશભાઈ પરમારની શંકાસ્પદ હાલતમાં તેના ઘરે થી મૃતદેહ મળી આવ્યો હતો.
ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉજ્જૈનના રઈસની એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે.રઈસ અને તેનો માણસ ડુપ્લીકેટ સારું બનાવવા ભાવનગર આવ્યા હતા. ગઈકાલ થી જ એસએમસીની ટીમ ઉજૈન અને અન્ય જગ્યાઓ પર પહોચી ચૂકી હતી.