BHAVNAGAR : અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું સપનું સાકાર થશે, સીએમના હસ્તે મંગળવારે લોકાર્પણ થશે

|

Jul 18, 2021 | 6:04 PM

ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે.

BHAVNAGAR : અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું સપનું સાકાર થશે, સીએમના હસ્તે મંગળવારે લોકાર્પણ થશે
Bhavnagar : Cancer Hospital

Follow us on

BHAVNAGAR : ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે.

ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે એક અત્યાધુનિક આશરે 32 કરોડના ખર્ચે આધુનિક સાધનોથી સુસજ્જ કેન્સર હોસ્પિટલ તા.20 ને મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં થવાનું છે. કેન્સરની સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું નહિ પડે પણ હવે ભાવનગર જ સારવાર મળશે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટીયુટ દ્વારા જ આ હોસ્પિટલ ચલાવાશે, આથી લોકોની આરોગ્ય સેવામાં વધારો થશે.

ભાવનગર ખાતે લોકોને અદ્યતન સારવાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા કેન્સર હોસ્પિટલ તા.20 જુલાઈ મંગળવારે ના રોજ શરૂ થનાર છે. આ હોસ્પિટલ ગ્રાઉન્ડ સાથે 3 માળ ની હોસ્પિટલમાં 2150 ચો.મીટરનું બાંધકામ થયેલું છે .આ હોસ્પિટલ માં 72 બેડ હશે જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમમાં 12 બેડ હશે અને 60 બેડ જનરલ હશે, કેન્સર માટે કિમોથેરેપી તો અપાશે. પણ એ ઉપરાંત અદ્યતન રેડિયો થેરેપી સારવાર પણ ઉપલબ્ધ થનાર છે. એ માટે ત્રણ પ્રકારના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જેમાં સિટી સેમ્યુલેટર, લીનીયર એક્સલેટર, બ્રેકી થેરેપી, આમ કુલ મળી આશરે 25 કરોડના માત્ર સાધનો આ હોસ્પિટલને સરકાર તરફથી ઉપલબ્ધ થયા છે. અને બિલ્ડીંગ સહિત આશરે 32 કરોડના ખર્ચે આ કેન્સર હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એમના જ ડોકટરો સ્ટાફ દ્વારા સારવાર મળનાર છે. માટે જ હવે ભાવનગરમાં જ કેન્સરની સારવાર અમદાવાદના ડોકટરો દ્વારા મળનાર છે.

હવે અમદાવાદ જવું ત્યાં રહેવા જમવા અને અન્ય વ્યવસ્થામાં પણ ખરચો થતો હોય તે સારવાર ઘર આંગણે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે જ મળશે. આ હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલના હાથે મંગળવાર તા.20ના રોજ સવારે થશે. આ હોસ્પિટલ ભાવનગર ખાતે શરૂ કરાવવા માટે ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા કરાયેલ પ્રયત્નોને સફળતા મળી છે.

Next Article