BHAVNAGAR: 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધુનું નુકસાન

|

May 22, 2021 | 10:42 PM

તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને ગુજરાતના અમુક જિલ્લામાં જાણે મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ હોય તેવી સ્થિતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આ આફત રૂપી વાવાઝોડાએ અનેક લોકોની આર્થિક સ્ત્રોતની કમર ભાંગી નાખી છે.

BHAVNAGAR: 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધુનું નુકસાન
પ્રતિકાત્મક તસવીર

Follow us on

BHAVNAGAR: તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને ગુજરાતના અમુક જિલ્લામાં જાણે મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ હોય તેવી સ્થિતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આ આફત રૂપી વાવાઝોડાએ અનેક લોકોની આર્થિક સ્ત્રોતની કમર ભાંગી નાખી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરી (Coconut)નો ઉછેર થાય છે અને નાળિયેરનું ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરની આવક થાય છે.

 

નાળિયેરનો વ્યવસાય ખુબ જ મોટા પ્રમાણમાં મહુવામાં આવેલો છે. ત્યારે તાઉ તે (Cyclone Tauktae) વાવાઝોડાએ અનેક નાળિયેરીને જમીન દોસ્ત કરી દેતા નાળિયેરીનો ઉછેર કરતા અનેક લોકો પણ જમીન પર આવી ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ભાવનગર જિલ્લાનું મહુવા ગ્રીનરીને લીધે ખુબ જ વખણાય છે અને આટલી બધી મહુવામાં લીલોતરીનું કારણ સમગ્ર મહુવામાં ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરીનો ઉછેર અને નાળિયેરની આવક થતાં હજારો લોકો આ નાળિયેરના વ્યવસાય સાથે જોડાયેલા છે.

 

 

ત્યારે હાલમાં જ આવેલા તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને બેકાબુ ગતિએ ફૂંકાયેલા પવને અનેક લોકોના વ્યવસાયના હાલ બેહાલ કરી નાખ્યા છે. મહુવામાં ઓનિયન ફૂડ ઈન્સ્ટ્રીઝને નુક્શાન થયેલ છે.

 

 

મકાનો, વિજપોલ, એટલા જ નુકશાન થયા છે, તેની જેમ જ મહુવા અને આજુબાજુના વિસ્તારમાં 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધારે રૂપિયાનું નુકશાન આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થવા પામેલ છે.

 

તાઉતે વાવાઝોડાને લઈને જ્યારે હજારોની સંખ્યામાં નાળિયેરીઓ પડી ગઈ છે, ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ છે કે એક નાળિયેરીને ઉછેરતા અને તેમાં નાળિયેરની આવક આવતા 4થી 5 વર્ષ જેટલો સમય લાગે છે, ત્યારે અચાનક જ આટલી મોટી સંખ્યામાં નાળિયેરી પડી જતા નવી નાળિયેરીઓ ઉભી કરતા ઘણો સમય લાગી જશે. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થયેલા નુકસાનથી ઊગરવા માટે સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી રહ્યા છે.

 

આ આપણ વાંચો : Red Blood Moon: સુપરમુન, રેડ બ્લડ મૂન અને પૂર્ણ ચંદ્રગ્રહણ, બધુ જ એક સાથે…. જાણો શું છે મહત્વ

Next Article