AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં નીરસ જયારે તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું, બે મહિલા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી

ભરૂચ નગર પાલિકા(Bharu Nagar Palika) વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકા(Bharuch Taluka Panchayat)ની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મિષ્ઠા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડી હતી.

BHARUCH : પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં નીરસ જયારે તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું, બે મહિલા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી
By-elections Voting
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:06 PM
Share

ભરૂચ જિલ્લામાં બે બેઠકો માટે આજે મતદાન થયું હતું. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બન્ને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. નિકોરા બેઠક પર 63.40 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 33.10 % મતદાન નોંધાયું હતું.

રાજ્યમાં ગાંધીનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની 46 બેઠકો, જિલ્લા પંચાયતની 7 બેઠકો અને નગર પાલિકાઓની 39 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ મતદાન 55 % આસપાસ રહ્યું છે. ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકાની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મીષ્ટા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડી હતી. બન્ને ખાલી પડેલી મહિલા બેઠક માટે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ ગાઈડલાઈન હેઠળ પેટા ચૂંટણી યોજાઈ હતી.

સવારે 7 વાગ્યાથી મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10 ની બેઠક માટે માત્ર 33.10 ટકા મતદાન થયું હતું. કુલ 16506 મતદારો પૈકી 5464 એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગાઢ માનવામાં આવે છે જોકે ગત ટર્મમાં AIMIM એ એક બેઠક હાંસલ કરી ગાબડું પાડયું હતું.

ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતુ. કુલ 7625 મતદારો પૈકી 4835 એ મતદાન કરતા ટકાવારી 63.40 ટકા નોંધાઇ હતી.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગઢ એવા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. નિકોરા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આગામી 5 ઓક્ટોબરે બન્ને બેઠક માટે મતગણતરી હાથ ધરાનાર છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું હતું. ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાયું જ્યારે રાજ્યની 3 નગરપાલિકા થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થઇ જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : Surat: રાજ્યમંત્રીની જન યાત્રામાં લોકોએ કર્યો એવો વિરોધ કે પોલીસને પડી ગયો પરસેવો, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો : JAMNAGAR : કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કૃષિ વિભાગ રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા કામ કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">